મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સહયોગી પક્ષોની બેઠક બોલાવી છે. હકિકતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે કહ્યું હતું કે અમે મહારાષ્ટ્રમાં ડિસિજન મેકર નથી. આ નિવેદન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. જેને પગલે સીએમ ઉદ્ધવ દ્વારા તાત્કાલીક સાથીદારોની બેઠક બોલાવવામાં આવી છે.
ઉદ્ધવએ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની બેઠક બોલાવી
શિવસેનાએ મુખપત્રમાં કહ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર સ્થિર
ઉદ્ધવે કહ્યું રાષ્ટ્રપતિ શાસનની માંગ કરનારા હિંમત હોય તો ગુજરાત માટે કરો
જોકે, શિવસેનાના મુખપત્ર સામનાએ બુધવારે લખ્યું છે કે મહારાષ્ટ્રમાં સરકાર સ્થિર છે. શિવસેનાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એનસીપીના પ્રમુખ શરદ પવાર પહેલા રાજ્યપાલ બી.એસ. કોશ્યારી અને ત્યારબાદ સીએમ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. આ પછી ઉદ્ધવ સરકાર ઉપર કટોકટીને વાદળ છવાયેલા હોવાની અટકળો કરવામાં આવી રહી છે.
તંત્ર લેખમાં કહેવામાં આવ્યું છે કે શરદ પવાર અને સંજય રાઉતે રાજ્યપાલને મળ્યા હતા અને મહામાર સાથે સંકળાયેલા પગલાઓ વિશે તેમને માહિતી આપી હતી. શરદ પવાર અનેક વખત પ્રસંગોએ માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરેને મળ્યા છે. લેખમાં જણાવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં આ બેઠકો નિયમિત અને સ્થિર છે.
ભાજપ પર કટાક્ષ કરતાં લેખમાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરનારાઓએ હિંમત હોય તો ગુજરાતમાં આવી માંગ કરવી જોઈએ. રાજ્યપાલે આવી વિરોધી પાર્ટીનો ઉધડો લેવો જોઈએ. જે કોરોના પર રાજનીતિ કરી રહી છે. ઉદ્ધવ સરકારેએ છ મહિના પૂરા કર્યા છે. આ લોકો કહેતા હતા કે સરકાર 11 દિવસ નહીં ચાલે.
સામનાના લેખમાં કહેવામાં આવ્યું છે કે અમારી પાસે 170 ધારાસભ્યો સાથે મજબૂત સરકાર છે. જો આ આંકડો 200 થાય તો વિપક્ષે ભવિષ્યમાં અમને દોષ ન આપવો જોઇએ.