મહારાષ્ટ્ર / એકનાથ ખડસેએ BJP નેતાઓની વિરુદ્ધ શરૂ કર્યો મોર્ચો, શરદ પવાર સાથે કરી મુલાકાત

Maharashtra Politics BJP Devendra Fadanvis Eknath Khadse Pankaja Munde

મહારાષ્ટ્રમાં ભાજપમાં હવે આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. પંકજા મુંડેની બગાવત બાદ હવે એકનાથ ખડસેએ પણ ભાજપના નેતાઓ સામે મોર્ચો ખોલી દીધો છે. પાર્ટી નેતાઓ સામે નિવેદન કરવાની વચ્ચે તેઓ શરદ પવારને પણ દિલ્હીમાં મળ્યા હતા. શરદ પવાર સાથે મુલાકાત બાદ એકનાથ ખડસેએ કહ્યું કે ચૂંટણીમાં અમારી પાર્ટીના કેટલાક પ્રમુખ કાર્યકર્તાઓએ અમારા વિરુદ્ધમાં કામ કર્યું હતું. મેં મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષને કેટલાક ઓડિયો અને વીડિયોના પૂરાવા પણ આપ્યા છે. એકનાથ ખડસેએ આ અગાઉ પંકજા મુંડે અને રોહિણી ખડસેની હાર માટે પાર્ટીને કેટલાક નેતાઓને જ જવાબદાર ઠેરવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ