મહારાષ્ટ્રમાં ભાજપમાં હવે આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. પંકજા મુંડેની બગાવત બાદ હવે એકનાથ ખડસેએ પણ ભાજપના નેતાઓ સામે મોર્ચો ખોલી દીધો છે. પાર્ટી નેતાઓ સામે નિવેદન કરવાની વચ્ચે તેઓ શરદ પવારને પણ દિલ્હીમાં મળ્યા હતા. શરદ પવાર સાથે મુલાકાત બાદ એકનાથ ખડસેએ કહ્યું કે ચૂંટણીમાં અમારી પાર્ટીના કેટલાક પ્રમુખ કાર્યકર્તાઓએ અમારા વિરુદ્ધમાં કામ કર્યું હતું. મેં મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષને કેટલાક ઓડિયો અને વીડિયોના પૂરાવા પણ આપ્યા છે. એકનાથ ખડસેએ આ અગાઉ પંકજા મુંડે અને રોહિણી ખડસેની હાર માટે પાર્ટીને કેટલાક નેતાઓને જ જવાબદાર ઠેરવ્યા હતા.
મહારાષ્ટ્ર ભાજપમાં આંતરિક વિખવાદ
એકનાથ ખડસેએ ભાજપ નેતાઓ સામે ખોલ્યો મોર્ચો
પાર્ટી વિરોધી નિવેદનો વચ્ચે એકનાથ ખડસે શરદ પવારને મળ્યા
શરદ પવાર સાથેની મુલાકાત બાદ એકનાથ ખડસેએ કહ્યું કે ચૂંટણીમાં અમારી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓએ અમારી વિરુદ્ધમાં કામ કર્યું છે. મેં ચંદ્રકાંત પાટિલને કેટલાક ઓડિયો અને વીડિયો સબૂત રૂપે આપ્યા છે તેમને આ બાબતે કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. એકનાથ ખડસે આ પહેલાં પણ પંકજા મુંડે અને રોહિણી ખડસેની હારને માટે પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓને જવાબદાર ગણાવી ચૂક્યા છે.
Eknath Khadse, Bharatiya Janata Party (BJP): In the elections, some prominent workers of our party worked against us. I have given Chandrakant Patil (BJP Maharashtra President) some audios and videos as evidence and requested him to take action against such people. pic.twitter.com/jOaPJYbeGE
એકનાથ ખડસેએ ભાજપ કાર્યકર્તાઓ પર આરોપ લગાવ્યો હતો કે તેઓએ પોતાની પાર્ટીના ઉમેદવારોની વિરુદ્ધમાં કામ કર્યું હતું. તેઓએ કહ્યું ભાજપના લોકોએ પોતાની પાર્ટીના ઉમેદવારોની વિરુદ્ધમાં કામ કર્યું. તેઓએ કહ્યું છે કે લોકો જ પંકજા મુંડે અને રોહિણી ખડસેની હારને માટે જવાબદાર છે. મેં આવા લોકોના નામ પાર્ટીને આપ્યા છે અને તેમની વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવું સૂચન પણ કર્યું છે.