સરકારની રચનાને લઇને મુંબઇના નહેરુ સેન્ટરમાં શિવસેના, NCP અને કોંગ્રેસની બેઠક પૂર્ણ થઇ હતી, ત્યારબાદ NCP ના પીઢ નેતા શરદ પવારે એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે મુખ્યમંત્રી પદને લઇને નિવેદન આપતા કહ્યું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જ બનશે.
NCP- શિવસેના- કોંગ્રેસ વચ્ચે બેઠક પૂર્ણ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેના નામ પર લાગી મહોર
નક્કી થઈ ચૂકી છે સત્તામાં ભાગીદારીની ફોર્મ્યૂલા
નોંધીનીય છે કે, આ બેઠકમાં એનસીપીના પ્રમુખ શરદ પવાર, શિવસેનાના પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર, જયંત પાટિલ, એકનાથ શિંદે અને સંજય રાઉત હાજર છે. કોંગ્રેસ વતી, અહેમદ પટેલ, કેસી વેણુગોપાલ અને મલ્લિકાર્જુન ખડગે બેઠકમાં સામેલ થયાં હતા. સમગ્ર બેઠકના અંતે ત્રણેય પક્ષના વડાઓએ ઉદ્ધવ ઠાકરેના નામ પર મુખ્યમંત્રી તરીકેની મહોર લગાવી હતી.
આદિત્ય ઠાકરે બની શકે છે શિક્ષણમંત્રી
રાજનીતિમાં હાલમાં જ પગલાં માંડનારા ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરેને શિક્ષણમંત્રી બનાવવામાં આવી શકે છે. મળતી માહિતી અનુસાર ત્રણેય દળોમાં ચાર વિધાયકો પર એક મુખ્યમંત્રીની ફોર્મ્યૂલા છે. શિવસેનાને 56 ધારાસભ્યો પર 15, NCPને 54 ધારસભ્યો પર 15 અને કોંગ્રેસને 44 ધારાસભ્યો પર 12 મંત્રી પદ આપવામાં આવ્યા છે. શિવસેનાના સૂત્રોના આધારે ઉદ્ધવ મુખ્યમંત્રી પદને માટે અંતિમ રૂપે તૈયાર નથી. તેઓને મંત્રાલયોના કામકાજનો પ્રત્યક્ષ અનુભવ નથી. કોંગ્રેસ એનસીપીએ નક્કી કરી દીધું છે કે નેતા આદિત્ય ઠાકરેના નેતૃત્વમાં કામ કરશે નહીં. જેને લઈને આજે ઉદ્ધવ ઠાકરે પોતાના પત્તા ખોલશે.
ગડકરીએ આપ્યું સરકારને લઇ નિવેદન
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી-શિવસેના મળીને સરકાર બનાવવા માટે તૈયાર છે. સૌથી મોટો પક્ષ હોવા છતાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવામાં અસમર્થ છે. આ બધાની વચ્ચે કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીએ એક મોટું નિવેદન આપ્યું છે. નીતિન ગડકરીનું કહેવું છે કે, શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકાર બને તો પણ તે વધુ સમય ટકશે નહીં.
મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ અંગે નીતિન ગડકરીએ કહ્યું કે, 'કોંગ્રેસ-એનસીપી-શિવસેના વચ્ચે વિચારધારાનો તફાવત છે. ભલે તે સરકાર બને, પણ તે આગળ વધશે નહીં. તેમણે કહ્યું કે કોંગ્રેસ-શિવસેના-એનસીપી ગઠબંધન તકવાદી છે, મહારાષ્ટ્રને અસ્થિર સરકાર મળે તો સારું નહીં.