દેશભરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં સૌથી વધારે દર્દીઓ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. ગત 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 2361 નવા કોરોના દર્દીઓની પુષ્ટી થઇ છે. જ્યારે 24 કલાકમાં કોરોનાથી 76 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 2362 લોકોના મોત થયા છે.
દેશમાં સૌથી વધારે દર્દીઓ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે
24 કલાકમાં મહારાષ્ટ્રમાં 2361 નવા કોરોના દર્દીઓની પુષ્ટી થઇ
મહારાષ્ટ્રમાં કુલ દર્દીઓની સંખ્યા 70,013 પર પહોંચી ગઇ છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા 37,534 થઇ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 30,108 દર્દીઓ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે દર્દીઓ મુંબઇમાં સામે આવ્યા છે.
તાજા આંકડા મુજબ મુંબઇમાં હવે કોરોના સંક્રમણના કેસની સંખ્યા 41,099 થઇ છે. મુંબઇમાં કોરોનાથી 1319 લોકોના મોત થયા છે. જ્યારે 16,985 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. મુંબઇમાં હાલ 22,789 એક્ટિવ કેસ છે. મુંબઇમાં ગત 24 કલાકમાં 1413 દર્દીઓ સામે આવ્યા છે અને 40 લોકોના મોત થયા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન્સ બાદ અલગ-અલગ રાજ્યોએ પણ પોતાના નિયમ જાહેર કર્યા છે. મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધારે કોરોના પ્રભાવિત રાજ્ય છે. એવામાં અહીં પણ સાવધાની રાખતા છૂટ અપાઇ છે.