મહારાષ્ટ્રની શિંદે સરકારે પેટ્રોલમાં 5 રુપિયા અને ડીઝલમાં 3 રુપિયાના ઘટાડાની જાહેરાત કરી છે.
શિંદે સરકારનો મોટો નિર્ણય
પેટ્રોલમાં 5 રુપિયા અને ડીઝલમાં 3 રુપિયાનો ઘટાડો
શિંદે સરકારે રાજ્યમાં વેટના દર ઘટાટ્યાં
મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનને આપી મંજૂરી
મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય
મહારાષ્ટ્રની શિંદે સરકારે પ્રજાને રાહત આપતા વેટના દરમાં ઘટાડો કર્યો છે જેને પરિણામે પેટ્રોલ 5 રુપિયા અને ડીઝલ 3 રુપિયા સસ્તું થયું છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાનીમાં મળેલી મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં બુલેટ ટ્રેન સંબંધિત એક મોટો નિર્ણય લેવાયો છે. મહારાષ્ટ્ર સરકારે બુલેટ ટ્રેનની બાકી રહેલી તમામ મંજૂરીઓ આપી દેવાનો નિર્ણય લીધો છે.
Maharashtra government to reduce value added tax (VAT) on petrol and diesel by Rs 5 and Rs 3 per litre respectively: CM Eknath Shinde
બુલેટ ટ્રેનનું કામકાજ ઝડપી ગતિએ આગળ વધશે
શિદે સરકારની તમામ મંજૂરીઓ મળ્યાં બાદ બુલેટ ટ્રેનનું કામકાજ ઝડપી ગતિએ આગળ વધશે. અત્યાર સુધી તો મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર હતી તેથી અમુક પ્રકારની મંજૂરીઓ અટવાઈ હતી. પરંતુ હવે સરકારે તેને તમામ પ્રકારની મંજૂરીઓ આપી દીધી છે.
All clearances given for the Mumbai-Ahmedabad bullet train in the state, said Maharashtra Deputy CM Devendra Fadnavis pic.twitter.com/dAyzPAVjGD
પેટ્રોલ 5 રુપિયા અને ડીઝલ રુપિયા સસ્તું
કેબિનેટની બેઠકમાં વેટ ઘટાડવાનો પણ નિર્ણય લેવાયો છે. વેટ ઘટાડતા રાજ્યમાં પેટ્રોલ 5 રુપિયા અને ડીઝલ 3 રુપિયા સસ્તું થયું છે.
શિંદે જૂથના કેટલા ધારાસભ્યો મંત્રી બનશે
મહારાષ્ટ્રમાં નવી સરકાર બની છે, પરંતુ મંત્રાલયનું વિભાજન હજુ થયું નથી. ભાજપ અને શિંદે જૂથના કેટલા ધારાસભ્યો મંત્રી બનશે, તે હજુ સ્પષ્ટ નથી. દરમિયાન, માહિતી સામે આવી છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને શિંદે સરકારમાં સામેલ કરવામાં આવી શકે છે.
MNS યુવા નેતા અમિત ઠાકરે હાવ કોંકણ પ્રવાસ પર
અમિત ઠાકરે હાવ કોંકણના પ્રવાસે છે. પ્રવાસ પહેલા તેમની કેબિનેટમાં સામેલ થવાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. અમિત ઠાકરેના મંત્રી પદને લઈને MNS તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી રસપ્રદ ઘટનાઓ બની છે. વધુ ધારાસભ્યો હોવા છતાં ભાજપે એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદ આપ્યું. પાર્ટીએ દેવેન્દ્ર ફડણવીસના સ્થાને એકનાથ શિંદેને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરીને બધાને ચોંકાવી દીધા હતા.