મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એનસીપી ચીફ શરદ પવારના એક આરોપ પર પલટવાર કર્યો છે. એમણે કહ્યું કે કોંગ્રેસ અને એનસીપીના ઘણા નેતાઓ બીજેપીમાં સામેલ થવા માટે તૈયાર છે. જોકે, કેટલાક લોકોને જ પાર્ટીમાં સામેલ કરવામાં આવશે.
સીએમ દેવેન્દ્ર ફડણવીસે સાથે કહ્યું કે એવા નેતાઓને બીજેપીમાં સામેલ નથી કરાય જેમના પર ઇડી અથવા અન્ય એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોય. એમણે કહ્યું કે અમે કોઇને પાર્ટીમાં આવવા માટે આમંત્રિત કર્યા નથી. એમણે ખુદ અમારો સંપર્ક કરી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શરદ પવારના આરોપો પર આમ નિવેદન આપ્યું છે.
D Fadnavis on S Pawar's statement: BJP has never done politics of pressuring others. In last 5 yrs,govt helped several sugar factories,facing difficult times. There's a long list but no one was asked to join BJP for this. Pawar sa'ab should have introspection within his own party https://t.co/v8Ugs9ZaT9
આ પહેલા એનસીપી ચીફ શરદ પવારે કેન્દ્ર સરકાર પર ઇડી અને આયકર વિભાગના દુરપયોગનો આરોપ લગાવ્યો હતો. એમણે કહ્યું હતું કે જે નેતાઓએ બીજેપીમાં સામેલ થવા પર ઇનકાર કર્યો છે. એ નેતાઓ વિરુદ્ધ એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ પાંચ વર્ષમાં અમારી સરકારે તમામ પડકારનો સામનો કરતા ઘણી ખાંડની મીલ સ્થાપી છે. જોકે, તેની લિસ્ટ લાંબી છે. જોકે કોઇને પણ બીજેપીમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યું નથી. એમણે કહ્યું કે પવાર સાહેબે પોતાની પાર્ટીનું આત્મવિશ્લેષણ કરવું જોઇએ.