મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણને લઇને પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઇ રહી છે. પરિસ્થિતિ એવી છે કે કોરોના સંક્રમિત દર્દીઓ માટે હોસ્પિટલોમાં બેડ ઓછા પડવા લાગ્યા છે.
મારા પિતાને બેડ આપો નહીં તો જીવ લઇ લોઃ સાગર કિશોર નાહરશેતિવાર
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં હોસ્પિટલમાં બેડ ન મળતા દર્દીઓ હેરાન
હોસ્પિટલોની બહાર દર્દીઓની લાઇન લાગી છે અને બધા લોકો ડૉક્ટરોને હોસ્પિટલમાં દાખલ કરવાની અપીલ કરી રહ્યા છે. આવો નજારો માત્ર મહારાષ્ટ્રના મોટા શહેરોનો જ નથી નાના શહેરોમાં પણ સ્થિતિ બહુ સારી નથી.
મુંબઈથી 850 કિલોમીટર દૂર ચંદ્રપુરમાં તો હોસ્પિટલમાં બેડ ન હોવાના કારણે દર્દીઓ પાછા મોકલવામાં આવી રહ્યા છે. એક દીકરો પોતાના પિતાને લઇને ભટકી રહ્યો છે પરંતુ તેની ફરિયાદ સાંભળનાર કોઇ નથી. મહારાષ્ટ્ર અને તેલંગાણા બોર્ડર વચ્ચે કેટલીક હોસ્પિટલોના ચક્કર લગાવી ચૂકેલા સાગર કિશોર નાહરશેતિવારનું કહેવું હતું કે તેમના પિતાની સારવાર આપવામાં આવે નહીં તો ઇન્જેક્શન આપીને તેમનો જીવ લઇ લેવામાં આવે.
👉बुज़ुर्ग मरीज़ के बेटे की गुहार, ‘या बेड दो या इंजेक्शन देकर मार दो!’ 24 घंटे चक्कर लगाए, कहीं बेड नहीं!
ચંદ્રપુરમાં કોરોનાના વધતા કેસના કારણે તમામ હોસ્પિટલોને 24 કલાક માટે બંધ કરી દેવામાં આવી છે. તેવામાં મોટી સંખ્યામાં હોસ્પિટલોની બહાર દર્દીઓ જોવા મળી રહ્યા છે. કેટલાક દર્દી એમ્બ્યુલન્સથી હોસ્પિટલ તો પહોંચી ગયા છે પરંતુ તેમને હોસ્પિટલમાં જગ્યા નથી આપવામાં આવી રહી. આમાંથી એક એમ્બ્યુલન્સની પાસે નાહરશેતિવાર અને તેમના પિતા હાજર છે. તેમણે જણાવ્યું કે, મંગળવાર બપોરે 3 વાગ્યાથી જ હોસ્પિટલોના ચક્કર લગાવી રહ્યો છે. પહેલા તે ચંદ્રપુરમાં સ્થિત વરોરા હોસ્પિટલ ગયા, બાદમાં કેટલાક નજીક હોસ્પિટલના ચક્કર કાપ્યા, પરંતુ તેમને હજુ સુધી બેડ નથી મળી શક્યા.
નાહરશેતિવારના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના કોઇ પણ હોસ્પિટલમાં બેડ ન મળવાના કારણે તેઓ રાત્રે અંદાજિત 1.30 વાગ્યે તેઓ તેલંગાણા ગયા હતા. અંદાજિત 3 વાગ્યે તેલંગાણા પહોંચ્યા બાદ પણ તેમને બેડ નથી મળ્યો. સાગર કિશોરનું કહેવું છે કે હોસ્પિટલમાં બેડની રાહ કરતા કરતા હવે તેમના ઓક્સિજન પણ ખતમ થઇ રહ્યો છે. તેમણે ગુહાર લગાવતા કહ્યું કે અથવા તો તેમના પિતાને બેડ ઉપલબ્ધ કરાવવામાં આવે અથવા ઇન્જેક્શન લગાવીને તેમનો જીવ લઇ લેવામાં આવે. અમે હવે આ રીતે પિતાને લઇને ક્યાં બીજે નથી જઇ શકતા.