દેશભરમાં 31 મે સુધી લોકડાઉન 4ની નવી ગાઈડલાઈન જાહેર થઈ ગઈ છે. ગાઈડલાઈન પ્રમાણે સ્કૂલ, કોલેજ, શૈક્ષણિક સંસ્થાઓ સહિત મોલ અને રેસ્ટોરા અને હોટલ બંધ રહેશે.જ્યારે કેટલીક વસ્તુઓ ચાલુ રાખવાનો પણ સરકારે નિર્ણય લીધો છે...જેમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ સિવાયની કોઈપણ દુકાનને મંજૂરી આપવામાં નથી આવી. તો બીજી બાજુ આંતરરાજ્ય બસ સેવા શરૂ કરવી કે નહીં તેનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યો છે. આ સિવાય કેટલીક દુકાનો ખોલવા મુદ્દે પણ રાજ્ય સરકારો પર નિર્ણય છોડાયો છે .જેમાં ખાસ કરીને હાર્ડવેર, ફર્નિચર, ઓટોમોબાઈલ્સ અને અન્ય દુકાનોનો પણ સમાવેશ થાય છે.
રાજ્ય સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર તો છે જ પરંતુ આ લોકડાઉનથી દેશની અર્થવ્યવસ્થાનું શું થશે. કેવી રીતે ભારત ઉગરી શકે છે. કેવી રીતે અર્થતંત્ર પાટા પર આવી શકે છે. ઉદ્યોગ જગતની માગણીઓ શું છે. શું રાજ્ય સરકારે આંશિક છૂટછાટ આપવી જોઈએ આ સહિતના મુદ્દાઓ પર છે આજનું મહામંથન