સાબરમતી નદીના શુદ્ધીકરણની મોટી મોટી વાતો કરવામાં આવે છે. ત્યારે વીટીવીએ સાબરમતી નદીના ગ્રામ્ય વિસ્તાર ગ્યાસપુર ખાતે પહોંચ્યું જ્યાં નદીમાં બેફામ રીતે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે કેમિકલયુક્ત પાણી છોડવાને લઇ ખેડૂતો પણ પરેશાન છે. કારણ કે તેમના પાકને પણ નુકસાન થઇ રહ્યું છે. તંત્રની જવાબદારી છે કે, સાબરમતી નદીને શુદ્ધ કરી તો સાથે જ આપણે પણ જવાબદાર બનવું પડશે અને નદી શુદ્ધીકરણમાં તંત્રનો સાથ આપવો પડશે જેથી સાબરમતી નદીમાં જે ગંદકી થઇ રહી છે તે ન થાય. જુઓ આ જ મુદ્દે Isudan Gadhvi સાથે મહામંથન...