ડોક્ટર એક એવો પર્યાય જેને ભગવાન સમાન દરજ્જો આપવામાં આવે છે...પરંતુ જ્યારે ઉંચા દરજ્જાના વ્યક્તિ જ જો દૂષણનું કામ કરે તો તમે શું કરો. આ સવાલ એટલા માટે છે કારણ કે પાટણના સમીમાં એક પિતા પુત્ર ડોક્ટરની એવી કરતૂત સામે આવી છે જે સમાજ માટે આંખ ઉંઘાડવા સમાન કિસ્સો છે. સાથેજ સમાજના નામે કલંક પણ છે. આ ડોક્ટર પિતા પુત્ર મહિલાઓને પોતાની વાતમાં ભોળવીને તેઓની સાથે દુષ્કર્મ કરતા ઝડપાયા અને દર્દીઓ સાથે શારિરીક શોષણ કરતા દેખાયા. ત્યારે અહીં સવાલ એ થાય છે કે શું આ દુષ્કર્મી ડોક્ટરો સમાજનું દુષણ નથી. શું આવા ડોક્ટરોને આજીવન પ્રતિબંધ ના લાગી જવો જોઈએ. શું આ ડોક્ટરોને બળાત્કાર જેવી ગંભીર ઘટનાઓની હેઠળ સજા ના થવી જોઈએ. આવા ડોક્ટરોને સમાજ ક્યાં સુધી પનાહ આપશે. આ સહિતના સવાલો સાથે કરીશું આજનું મહામંથન