શાંત પાણીમાં કાંકરો ફેંકીને જેવા વમળમો પેદા થાય તેવા વિવાદના વમળો કથાકાર મોરારી બાપુના એક નિવેદનથી સર્જાયા છે. બાપુના નિવેદનનો વિવાદ એટલો વકર્યો છે કે, હવે શમવાનું નામ નથી લેતો. ત્યારે આ ઉપજેલા વિવાદનો અંત લાવવા માટે VTV પર મહામંથન પર દ્વારા એક પ્રયાસ કરાયો હતો. 'સંત વિવાદ ટાળે અને વિવાદ ન કરે'
મોરારિબાપુએ નીલકંઠવર્ણી અંગે આપેલા નિવેદનને લઈને વિવાદ સર્જાયો છે. ત્યારે કેટલાક લોકો દ્વારા તેમના નિવેદનને સમર્થન અપાયું તો કેટલાક દ્વારા ઉગ્ર વિરોધ કરાયો. મોરારિબાપુના નિવેદનથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં રોષની લાગણી પ્રસરી હતી. તો મોરારિબાપુએ બે વખત માફી પણ માંગી હતી. ત્યાર બાદ પણ આ વિવાદનો અંત આવ્યો નથી. આ વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે.
ત્યારે અનેક સવાલો થાય છે કે ધર્મ કે સંપ્રદાયની આસ્થા પર સવાલ કેટલો યોગ્ય ? સંત હોય તે વિવાદ કરે કે વિવાદ ટાળે ? લોકોની આસ્થા પર સવાલ કેમ ? કેવી રીતે વિવાદ શરૂ થયો અને કેમ તે વકર્યો ?
ત્યારે મહામંથનમાં સંત કાળીદાસ બાપુ (કડીધામ), કથાકાર રામેશ્વરબાપુ હરિયાણી, કવિ હરદ્વાર ગોસ્વામી, કમલેશકુમાર શાસ્ત્રી (આર્યસમાજ), રાધારમણ સ્વામી (રાજકોટ મંદિર), ભદ્રાયુ વચ્છરાજાની (લેખક), લોક કલાકાર યોગેશ ગઢવી અને હાર્દિક શાસ્ત્રી (સોલા-ભાગવત)એ આ મામલે ચર્ચામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામે આ મામલાનો અંત લાવવાની અપીલ કરી અને કહ્યું મિછ્છામી દુક્કડમ... જુઓ મહામંથન...