દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4400ને પાર થઈ ચુકી છે. મૃત્યુઆંક પણ દર ચોવીસ કલાકે વધી રહ્યા છે. ના માત્ર દેશ પરંતુ વૈશ્વિક સ્તરે પણ કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તો વિશ્વમાં હજારો લોકો મોતને ભેટી રહ્યા છે.. ગુજરાતમા પણ કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. મેગાસીટી એવા અમદાવાદમાં દર ચોવીસ કલાકે કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે કોરોના સંક્રમિતોની સંખ્યા ક્યારે કાબૂમાં આવશે.
શું દેશ અને દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા અને મોતનો આંકડો ઘટાડવા માટે લોકડાઉન વધારવું જરૂરી છે. ભારત પાસે કોરોનાને નાથવા માટે કોઈ એક્શન પ્લાન છે. શું ભારત પાસે કોઈ દવા તૈયાર થઈ રહી છે. કોરોના જેવી બિમારીને પહોંચી વળવા માટે ભારત કેટલો તત્પર દેશ છે. આ સહિતના મુદ્દાઓ પર કરીશું આજનું મહામંથન