ભારતમાં 2 એવા યુગ પુરુષ છે જેમના જન્મોત્સવ, સદિયોથી ધાર્મિક આયોજનના રૂપમાં ઉજવવામાં આવે છે. રામ અને કૃષ્ણ આ બંને ભગવાનનો જન્મદિવસ સદિયોથી ઉજવવામાં આવે છે.
જન્માષ્ટમી પર બની રહ્યો છે અદભૂત સંયોગ
આ મંત્રનો જાપ કરવાથી થશે લાભ
અટકેલા કામ ચપટી વગાડતા થઇ જશે
ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર ભગવાન રામનો જન્મ લગભગ 10 હજાર વર્ષ પહેલા થયો હતો અને ભગવાન કૃષ્ણનો જન્મ 5 હજાર વર્ષ પહેલાા થયો હતો. રામ અને કૃષ્ણ બંનેનો જન્મ અભિજીત મૂર્હુતમાં જ થયો હતો. આ એક એવું મૂર્હુત છે જેમાં જન્મેલ બાળક દરેક કામમાં જીત મેળવે છે.
જન્માષ્ટમી પર દુર્લભ સંયોગ
શ્રીમદભગવત ગીતા અનુસાર શ્રીકૃષ્ણનો જન્મ ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીના રોજ બુધવારે રોહિણી નક્ષત્ર અને વૃષ રાશિમાં ચંદ્રમા-કાલીન સમયમાં મધ્યરાત્રીએ થયો હતો. 30 ઓગસ્ટે આવી રહેલી જન્માષ્ટમી પર 8 વર્ષ બાદ આવો દુર્લભ સંયોગ બની રહ્યો છે.
શુભ મૂર્હુતમાં કરો આ મંત્રોનો જાપ
30 ઓગસ્ટે પૂજા માટે શુભ મૂર્હુત રાત્રે 11.59 વાગ્યાથી 12.44 સુધી છે. આ મૂર્હુત 45 મિનીટ સુધી રહેશે. ઓછામાં ઓછા 108 વાર આ મંત્રનો જાપ કરવાથી ફાયદો થશે.
ભગવાન શ્રીકૃષ્ણની આરાધનાનો મંત્ર
ज्योत्स्नापते नमस्तुभ्यं नमस्ते ज्योतिशां पते!
नमस्ते रोहिणी कान्त अर्घ्य मे प्रतिगृह्यताम्!!
સંતાનપ્રાપ્તિ માટે મંત્ર
આ મંત્રનો જાપ પતિ અને પત્ની બંનેએ કરવો જોઇએ.
देवकी सुत गोविंद वासुदेव जगत्पते! देहिमे तनयं कृष्ण त्वामहं शरणं गतः!!
क्लीं ग्लौं श्यामल अंगाय नमः !!
વિવાહ ન થઇ રહ્યાં હોય તો આ મંત્રનો જાપ કરો
ओम् क्लीं कृष्णाय गोविंदाय गोपीजनवल्ल्भाय स्वाहा.