સિંધિયાના રાજીનામા બાદ તેમના સમર્થન વાળા જુથના 22 ધારાસભ્યોએ પણ સ્પીકરને રાજીનામુ મોકલી દીધું છે. કોંગ્રેસ ધારાસભ્ય મનોજ ચૌધરીએ પણ રાજીનામુ આપ્યું છે. કોંગ્રેસના આ બળવાખોર 22 ધારાસભ્યોમાંથી 6 રાજ્ય મંત્રી પણ છે. આ તમામ કર્ણાટક સ્થિત બેંગલુરુના રિસોર્ટમાં હતા. જેઓએ સિંધિયાના રાજીનામાના થોડા જ સમય બાદ રાજીનામુ આપ્યું છે.
સિંધિયાના રાજીનામા બાદ તેમના સમર્થન વાળા જુથના 22 ધારાસભ્યોએ પણ સ્પીકરને રાજીનામુ મોકલ્યું
ભાજપના નેતા ભૂપેન્દ્ર સિંહે કહ્યું છે કે કોંગ્રેસના 30 ધારાસભ્યો તેમની સાથે છે
મધ્યપ્રદેશમાં ભાજપ તરફથી મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. ભાજપના નેતા ભૂપેન્દ્ર સિંહે કહ્યું છે કે કોંગ્રેસના 30 ધારાસભ્યો તેમની સાથે છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામા બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસના 22 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે.
દેવાસ હાટપિપલિયાથી ધારાસભ્ય મનોજ ચૌધરીએ પણ રાજીનામુ આપી દીધું છે. ધારાસભ્યોના રાજીનામાથી કમલનાથ સરકારની મુશ્કેલીઓ વધી ગઇ છે. આ પહેલા 4 કોંગ્રેસ ધારાસભ્યોએ ઇ મેલથી રાજીનામુ આપ્યું હતું.
નોંધનીય છે કે મધ્યપ્રદેશમાં હોળીના અવસરે કોંગ્રેસને મોટા ઝટકા મળી રહ્યા છે. મધ્યપ્રદેશમાં પાર્ટીના કદાવર નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલવામાં આવેલું રાજીનામુ સાર્વજનિક કર્યું છે. તેઓએ પત્ર દ્વારા કહ્યું કે તેઓે કોંગ્રેસમાં રહેતા રાજ્ય અને દેશ માટે કંઇક સારુ નથી કરી શકતા. એવામાં આગળ વધવાનો સમય છે.
સિંધિયાના રાજીનામા બાદ તેમના સમર્થક જુથમાંથી 22 ધારાસભ્યોએ પણ સ્પીકરને રાજીનામુ મોકલી દીધું છે. કોંગ્રેસના આ બળવાખોર 22 ધારાસભ્યોમાંથી 6 રાજ્ય મંત્રી પણ છે. આ તમામ કર્ણાટક સ્થિત બેંગલુરુના રિસોર્ટમાં હતા. જેઓએ સિંધિયાના રાજીનામાના થોડા જ સમય બાદ રાજીનામુ આપ્યું છે.
બિસાહુ લાલ સિંહે તો ધારાસભ્ય પદેથી રાજીનામુ આપવાની સાથે કોંગ્રેસ પણ છોડી દીધી છે અને તેઓ બીજેપીમાં સામેલ થઇ ગયા છે. ધારાસભ્યોના રાજીનામા બાદ બીજેપી નેતા વિધાનસભા સ્પીકરને મળ્યા.
કોંગ્રેસ નેતા અધીર ચૌધરીનું કહેવું છે કે, સિંધિયા જી ઘણા મોટા પદો પર રહ્યા છે. હોઇ શકે છે કે મોદી જીએ તેઓેને મંત્રી પદની લાલચ આપી હોય. અમે જાણીએ છીએ કે તેમનો પરિવાર ઘણા દાયકાઓથી ભાજપના સંપર્કમાં છે. તોપણ આ મોટુ નુકશાન છે. મને નથી લાગતું કે અમારી સરકાર બચી શકે છે. આ આજના સમયની બીજેપીની રાજનીતિ છે, જે હંમેશા સરકારોને અસ્થિર કરવાની કોશિશ કરે છે. ત્યારે મનાઇ રહ્યું છે કે મધ્ય પ્રદેશમાં સાંજ સુધીમાં નવી સરકારની રચના થઇ શકે છે.