નર્મદા નદીમાં મધ્યપ્રદેશ સરકાર ક્રુઝ ચાલુ કરવાની છે. આ ક્રુઝ અત્યાધુનિક સુખ સગવડથી ભરેલી હશે. હાલ મુંબઈથી ગોવા જતી ક્રુઝમાં જે વૈભવ હોય છે તે તમને આ ક્રુઝમાં જોવા મળી શકે છે. તમે પણ જો પ્રવાસના શોખીન હોવ તો આ ક્રુઝની સફર અવશ્ય માણવા જેવી છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવનાર લોકો માટે ક્રૂઝની આ સફર રોમાંચક બનશે
3 રાજ્યોના 5 જિલ્લામાં 150 કિમીની સફર છે
ક્રુઝમાં છ રૂમ હશે અને 24 લોકો મુસાફરી કરી શકશે
ક્યાંથી ક્યા સુધીની છે નદીની સફર
મધ્યપ્રદેશ સરકાર દ્વારા નર્મદા બંધના ઉપરવાસમાં રાજઘાટ, બડવાણીથી કેવડિયા સુધી ક્રૂઝ ચલાવવામાં આવશે. આ પ્રવાસનું પેકેજ 3 દિવસ 2 રાત્રિનું રહેશે. આ રૂટમાં આવતા ગામોમાં પણ પ્રવાસીઓને મુલાકાતે લઈ જવામાં આવશે. નર્મદામાં રાજઘાટથી કેવડિયા સુધી 3 રાજ્યોના 5 જિલ્લામાં 150 કિમીની સફર છે.
ક્યારે શરૂ થશે
અંદાજે 6 થી 8 મહિનામાં શરૂ થાય તેવી શક્યતા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવનાર લોકો માટે ક્રૂઝની આ સફર રોમાંચક બનશે. નર્મદામાં રાજઘાટથી કેવડિયા સુધી 3 રાજ્યોના 5 જિલ્લામાં 150 કિમીની સફર છે.
કેટલા દિવસનો હશે પ્રવાસ
પ્રવાસ 3 દિવસ અને 2 રાત્રિનો રહેશે. ક્રુઝમાં છ રૂમ હશે અને 24 લોકો મુસાફરી કરી શકશે. તેમાં મનોરંજન હોલ, આદિવાસી નૃત્ય, લંચ-ડિનરની સુવિધા હશે. આ માર્ગ પર 100થી વધુ ટાપુઓ અને પાંચ મુખ્ય વળાંક છે.