યુપીની રાજધાની લખનઉ નગર નિગમની ક્રેનથી ગાડી ઉઠાવી જવાની ઘટનાથી શનિવારે હઝરતગંજ ચોક પર ભારે વિવાદ થયો હતો.
નગર નિગમના કાંડ સામે આવ્યા
કારમાં બેઠેલા લોકોને ગાડી સહિત ઉઠાવી ગયા
તાત્કાલિક લેવાયા આ આદેશ
યુપીની રાજધાની લખનઉ નગર નિગમની ક્રેનથી ગાડી ઉઠાવી જવાની ઘટનાથી શનિવારે હઝરતગંજ ચોક પર ભારે વિવાદ થયો હતો. શનિવારે હઝરતગંજના મુખ્ય રસ્તા પર લોકોએ નગર નિગમની ક્રેનથી ડ્રાઈવર સહિત ગાડી ઉઠાવીને લઈ ગયા હતા. ક્રેન પર રાખેલી કારમાં બેઠેલા ડ્રાઈવર સતત ક્રેન રોકવા માટે બુમો પાડતા રહ્યા, પણ ક્રેન રોકાઈ નહીં. ત્યાર બાદ ક્રેન કસમંડા ચોકી સ્થિત પોઈન્ટ પર જઈને અટકી. જ્યાં ગાડી માલિક અને ક્રેન સંચાલક વચ્ચે મોડી રાત સુધી વિવાદ ચાલ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા સાઈટ પર વાયરલ થયો હતો.
વીડિયો વાયરલ થયો
તેમાં ક્રેન ડ્રાઈવર સહિત ગાડી ઉઠાવી લઈ જઈ રહ્યા હતા. કાર માલિકે આરોપ લગાવ્યો હતો કે, કારમાં ડ્રાઈવર બેઠેલા હતા અને ગાડી ઉઠાવતા પહેલા નગર નિગમની ક્રેને કોઈ જાહેરાત કર્યા વગર ડ્રાઈવર સહિત કાર ઉઠાવી ગયા હતા. ક્રેન સંચાલકે કહ્યું કે, કાર ઉઠાવતા સમયનો વીડિયો પણ બનાવામાં આવ્યો છે. કાર રસ્તાની વચ્ચે ઉભી હતી. તેમાં ડ્રાઈવર પણ હતો. કાર ઉઠાવતા પહેલા માઈકમાં જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ કાર ઉઠાવવામાં આવી હતી. આ સંબંધનો આખો વીડિયો હાલમાં સામે આવ્યો છે. ક્રેનથી ગાડી ઉઠાવ્યા બાદ ડ્રાઈવર કારમાં આવીને બેસી ગયો હતો.
મામલો સામે આવ્યા બાદ લખનઉ નગર નિગમે સામાન્ય લોકોની ફરિયાદ પર ક્રેન સર્વિસ તત્કાલ પ્રભાવથી રોક લગાવી દીધી છે. શનિવારે હઝરતગંજમાં હોબાળા બાદ નગર આયુક્ત અજય દ્વિવેદીએ આગામી આદેશ સુધી ક્રેનથી ગાડી ઉઠાવવા પર રોક લગાવી દીધઈ છે. તમામ ક્રેનોને નગર નિગમની કેન્દ્રીય શાળામાં ઉભી કરી દેવાના આદેશ આપ્યા છે. નગર નિગમે દાવો કર્યો છે કે, 14 ક્રેનથી નો પાર્કિંગ સ્થળ પર ઉભેલી ગાડીઓને ઉઠાવી જાય છે.