ઉજ્જવલા યોજનાથી દરેક ઘરમાં એલપીજી પહોંચાવ્યા બાદ હવે કેન્દ્ર સરકાર દેશમાં ગેસ પાઈપ લાઈનનો વિસ્તાર વધારવામાં લાગી ગઈ છે.
રસોઈ ગેસને લઈને કેન્દ્ર સરકાર મોટી તૈયારીમાં
ગેસ પાઈપ લાઈનનો વિસ્તાર વધારશે કેન્દ્ર સરકાર
જાણો તેના માટે શું યોજના લાગુ કરી
રસોઈ ગેસને લઈને કેન્દ્ર સરકાર મોટી તૈયારીમાં છે. ઉજ્જવલા યોજનાથી દરેક ઘરમાં એલપીજી પહોંચાવ્યા બાદ હવે કેન્દ્ર સરકાર દેશમાં ગેસ પાઈપ લાઈનનો વિસ્તાર વધારવામાં લાગી ગઈ છે. આ વિશે સોમવારે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદિપ સિંહ પુરીએ રાજ્ય સભામાં પ્રશ્નકાલ વખતે વિસ્તૃત જાણકારી આપી છે.
દરેક ઘરમાં પાઈપ લાઈનથી પહોંચશે રસોઈ ગેસ
તેમણે કહ્યું કે ગેસ પાઈપ લાઈનના વિસ્તાર કાર્ય બાદ ભારતના 82 ટકાથી વધારે ભૂમિ ક્ષેત્ર અને 98 ટકા આબાદીને પાઈપ લાઈનથી રસોઈ ગેસની સપ્લાય કરવામાં આવશે. ગેસ પાઈપ લાઈન લગાવવા માટે અને તેના વિસ્તાર કાર્ય માટે બોલી પ્રક્રિયા આ વર્ષે 12 મેએ શરૂ કરવામાં આવશે.
દેશની 98 ટકા વસ્તી આવશે તેમાં
હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે બોલી પ્રક્રિયા બાદ શરૂઆતી ઢાચાનું ખાતુ તૈયાર કરવામાં આવશે. તેમાં અમુક નિશ્ચિત સમય લાગે છે. તેમણે કહ્યું, "11માં દોરની બોલી બાદ 82 ટકાથી વધારે ભૂમિ ક્ષેત્ર અને 98 ટકા આબાદીને રસોઈ ગેસ પાઈપ લાઈનથી આપવામાં આવશે."
અમુક દૂરના વિસ્તાર સુધી નહીં પહોંચી શકે ગેસ પાઈપ લાઈન
ત્યાં જ પહાડી વિસ્તારોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે પૂર્વોત્તર ક્ષેત્ર અને જમ્મૂ કાશ્મીરના અમુક દૂરના વિસ્તારથી જ ગેસ પાઈપ લાઈનના દાયરામાં નહીં આવી શકે. તેમણે કહ્યું કે એલપીજી સિલિન્ડરની તુલનામાં પાઈપના માધ્યમથી મળતા રસોઈ ગેસ સસ્તા અને વધુ ઉપભોક્તા અનુકૂળ છે.
1000 એલએનજી સ્ટેશન
તેમણે જણાવ્યું કે કોવિડ મહામારીના સમયમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવશે. આજે ગેસ સિલિન્ડરોની સંખ્યા 30 કરોડ થઈ ગઈ છે જે 2014માં કુલ 14 કરોડ હતી. તેમણે કહ્યું કે અમે આખી આબાદીને કવર કરીશૂ અને આ કામ પ્રગતિ પર છે. ગેસ પાઈપ લાઈનના વિસ્તાર વિશે આગળ તેમણે કહ્યું કે 1,000 એલએનજી સ્ટેશન પ્રસ્તાપિત છે. તેમાંથી 50 એલએનજી સ્ટેશન આવતા અમુક વર્ષોમાં તૈયાર થઈ જશે.