રાજ્યમાં આપઘાતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. તેમાં પણ આપણે પ્રેમીપંખીડાએ આપઘાત કર્યો હોવાનું અવારનવાર સાંભળીએ છીએ ત્યારે સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની. સુરતમાં પ્રેમીનુ મોત થતા પ્રેમિકાએ લગાવી મોતની છલાંગ. આવો જાણીએ શું છે સમગ્ર મામલો
પરિણીત પ્રેમિકાએ લગાવી મોતની છલાંગ
સુરતમાં પ્રેમ સંબંધમાં જીવન અને મરણનો સાથે વાયદો કર્યો હોય તેમ પ્રેમીએ આપઘાત કરતા પ્રેમિકાએ પણ મોતને વ્હાલુ કરી લીધું. પ્રેમીએ આપઘાતનો પ્રયાસ કરતા પ્રેમિકા તેને નવી સિવિલ હોસ્પિટલ લઇને આવી હતી. જ્યાં ડોક્ટરે તેને મૃત ઘોષિત કરતા પ્રેમિકાને લાગી આવ્યુ અને હોસ્પિટલના જ પાંચમા માળેથી છલાંગ મારી દીધી. વળી અહીં ચોંકાવનારી વાત તો એ છે કે પ્રેમિકા પરિણીત હતી. તેના બે બાળકો પણ છે.
પ્રેમીએ આપઘાત કરતા લાવી હતી હોસ્પિટલ
સુરતના અલથાણ વિસ્તારમાં આ ઘટના બની. અલથાણના ખોડીયાર નગર સોસાયટીમાં રહેતા રવિ સોલંકીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો. 108ને કોલ મળતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી જ્યાં વિનોદ બેભાન હાલતમાં હતોઅને તેની સાથે એક મહિલા પણ હતી. તેની પૂછપરછ કરતા પોતે તેની પ્રેમિકા હોવાનું જણાવ્યું હતુ. ડોક્ટરે જ્યારે વિનોદને મૃત જાહેર કરતા તેના મૃતદેહને પીએમ રૂમમાં ખસેડવાની તજવીજ ચાલી રહી હતી તેવામાં જ પ્રેમિકાએ કિડની હોસ્પિટલમાં જઇને પાંચમા માળેથી પડતુ મૂક્યું.
પોલીસે યુવક-યુવતીની ઓળખ કરવા હાથ ધર્યા પ્રયાસ
ઘટનાને પગલે હોસ્પિટલમાં ભાગદોડ મચી જવા પામી હતી. ખટોદરા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જો તે પ્રેમિકા કોણ છે તેની ઓળખ થઇ શકી ન હતી. ઘટનાને પગલે પોલીસે યુવકના આપઘાતનું કારણ અને પ્રેમિકાએ જીવન ટૂંકાવવા અંગે બંનેની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે.