જોધપુરમાં દુનિયાના સૌથી અનોખા મેળાનું આયોજન કરવામાં આવે છે.
જોધપુરમાં થાય છે અનોખો મેળો
મહિલા રાત્રે યુવકોને મારે છે માર
જાણો તેના પાછળ શું છે માન્યતા
રાજસ્થાનના જોધપુરમાં દુનિયાના સૌથી અનોખા મેળાનું આયોજન કરવામાં આવે છે. જ્યાં 16 દિવસ પુજા કર્યા બાદ વિવાહિત સ્ત્રીઓ અલગ અલગ રૂપ ધારણ કરીને રાત્રે રસ્તાઓ પર નિકળે છે. તેને બેંતમારના નામથી પણ જાણવામાં આવે છે. પ્રાચીન કાળથી ચાલી રહેલા આ મેળાની ખાસિયત એ છે કે ભાભી પોતાના દિયર અને અન્ય કુવારા યુવકોને પ્રેમથી લાકડી મારીને જણાવે છે કે તે કુવારો છે જ્યાર બાદ કુવારા યુવકના લગ્ન જલ્દી થઈ જાય છે.
મેળામાં આખી રાત રસ્તા પર દેખાય છે ફક્ત મહિલાઓ
આ મેળા વખતે આખી રાત શહેરના રસ્તાઓ પર ફક્ત મહિલાઓ જ જોવા મળે છે અને દરેક મહિલાઓના હાથમાં એક લાકડી હોય છે જેવો પુરૂષ સામે દેખાય છે તો તેને લાકડી મારે છે.
આ મેળામાં 16 દિવસ સુધી ધીંગા ગવર માતાનું પુજન કરવામાં આવે છે. ત્યાં જ 16માં દિવસે આખી રાત મહિલાઓ ઘરની બહાર આવે છે અને અલગ અલગ સમયમાં ધીંગા ગવરની આરતી કરે છે. મેળામાં મહિલાઓ અલગ અલગ રૂપ ધારણ કરીને આખી રાત શહેરમાં ફરે છે.
12 કલાક સુધી મહિલાઓ કરે છે નિર્જળા ઉપવાસ
દુનિયામાં ફક્ત જોધપુરમાં જ ધીંગા ગવરનું આયોજન કરવામાં આવે છે. જેને જોવા માટે ફક્ત રાજસ્થાનથી જ નહીં પરંતુ આખી દુનિયાથી લોકો જોધપુર પહોંચે છે. આ ધીંગા ગવરની અનોખૂ પૂજા કરનાર મહિલાઓ દિવસમાં 12 કલાક નિર્જળા ઉપવાસ કરે છે.
જાણો તેની પાછળ શું છે માન્યતા?
જોધપુરની સ્થાપના રાવ જોધાએ 1459માં કરી હતી અને ત્યારથી જ ધીંગા ગવર પૂજનનું આયોજન કરવામાં આવે છે. 563 વર્ષથી આ પૂજા ચાલતી આવી રહી છે. તેની પાછળ માન્યતા છે કે માતા પાર્વતીએ સતી થયા બાદ જ્યારે બીજો જન્મ લીધો તો તે ધીંગા ગવરના રૂપમાં આવ્યા હતા.
વ્રત રાખતી મહિલાઓ એક સમય ભોજન કરે છે અને માતાની પૂજામાં કંઈક ગળ્યું બનાવીને ભોગ લગાવે છે. જે મહિલાઓ આ વ્રત કરે છે તેમના હાથમાં એક દોરો બાંધે લો હોય છે જેમાં કંકુથી 16 તિલક કરવામાં આવે છે.