છેલ્લા 24 કલાકમાં ભારતમાં 14,092 નવા કેસ નોંધાયા છે. આ સાથે કોરોના સંક્રમણને કારણે 41 લોકોએ જીવ ગુમાવ્યા
ભારતમાં છેલ્લા 24 કલાકમાં ભારતમાં 14,092 નવા કેસ નોંધાયા
કોરોના સંક્રમણને કારણે 41 લોકોએ જીવ ગુમાવ્યા તો 16454 લોકો સાજા થયા
દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 2040 કોરોના કેસ નોંધાયા
દેશમાં આજે સક્રિય કેસ ઘટીને 1,16,186 થઈ ગયા
ભારતમાં કોરોના કેસોને લઈ થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં 14,092 નવા કેસ નોંધાયા છે. આ સાથે કોરોના સંક્રમણને કારણે 41 લોકોએ જીવ ગુમાવ્યા છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ 16454 લોકો કોરોના સંક્રમણમાંથી મુક્ત થયા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 2040 કોરોના કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 4,42,53,464 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે, જેમાંથી 4,36,09,566 લોકો સાજા થઈ ગયા છે. જ્યારે 5 27,037 લોકો મૃત્યુ પામ્યા છે.
કોરોનાના સક્રિય કેસોમાં ઘટાડો
દેશમાં કોરોનાના સક્રિય કેસોમાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલના 1,19,264ની સરખામણીએ આજે સક્રિય કેસ ઘટીને 1,16,861 થઈ ગયા છે. આ પહેલા શનિવારે દેશમાં કોરોનાવાયરસ ચેપના 15,815 નવા કેસ નોંધાયા હતા. આ દરમ્યાન 68 લોકોના મોત થયા હતા અને 20,018 લોકો ચેપ મુક્ત થયા હતા.
Single day rise of 14,092 new coronavirus infections push India's COVID-19 tally to 4,42,53,464, death toll climbs to 5,27,037:Govt
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સક્રિય કેસ કુલ ચેપના 0.26 ટકા છે, જ્યારે કોરોનાવાયરસ ચેપનો પુનઃપ્રાપ્તિ દર 98.54 ટકા છે. દૈનિક હકારાત્મકતા દર 3.69 ટકા છે અને સાપ્તાહિક હકારાત્મકતા દર 4.57 ટકા છે. દેશમાં કોરોના મૃત્યુ દર 1.19 ટકા નોંધાયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશવ્યાપી કોવિડ 19 રસીકરણ અભિયાન અંતર્ગત આજે સવારે 8 વાગ્યા સુધી દેશમાં કોવિડ રસીના 207.99 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
Active Covid cases decline to 1,16,861 from 1,19,264: Union Health Ministry
છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણને કારણે 29 લોકોના મોત થયા છે. કુલ મૃત્યુઆંક 41 છે, કારણ કે તેમાં કેરળના 12 કેસ ઉમેરવામાં આવ્યા છે, જેમાં એવું માનવામાં આવે છે કે આ દર્દીઓનું મૃત્યુ કોરોના ચેપને કારણે થયું છે. નવા મૃત્યુમાં દિલ્હીમાંથી 9, કર્ણાટકમાંથી 5, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાંથી 3-3, ઉત્તર પ્રદેશમાંથી 2, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, મિઝોરમ, પંજાબ અને ઉત્તરાખંડમાંથી 1-1નો સમાવેશ થાય છે.