લોકસભા ચૂંટણી 2019માં જનતા કયા પક્ષને પસંદ કરશે અને કેન્દ્રમાં કોની સરકાર બનશે તેની આખો દેશ રાહ જોઈ રહ્યો છે. 23મીએ ચૂંટણી પંચ મતગણતરી શરૂ કરીને પરિણામ જાહેર કરશે તે સાથે જ સરકાર કોની બનશે તે સ્પષ્ટ થઈ જશે. પરંતુ મતગણતરીના દિવસે જ ફાઈનલ પરિણામ માટે થોડી વધુ રાહ જોવી પડી શકે છે.
લોકસભા ચૂંટણી 2019માં જનતા કયા પક્ષને પસંદ કરશે અને કેન્દ્રમાં કોની સરકાર બનશે તેની આખો દેશ રાહ જોઈ રહ્યો છે. 23મીએ ચૂંટણી પંચ મતગણતરી શરૂ કરીને પરિણામ જાહેર કરશે તે સાથે જ સરકાર કોની બનશે તે સ્પષ્ટ થઈ જશે. પરંતુ મતગણતરીના દિવસે જ ફાઈનલ પરિણામ માટે થોડી વધુ રાહ જોવી પડી શકે છે.
લોકસભા ચૂંટણી 2019માં જનતા કયા પક્ષને પસંદ કરશે અને કેન્દ્રમાં કોની સરકાર બનશે તેની આખો દેશ રાહ જોઈ રહ્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું કે, સમગ્ર દેશમાં લોકસભાની બેઠક પર થયેલા મતદાનના જે પરિણામ 23મી મેનાં રોજ આવવાના છે. તેમાં થોડો વધારે સમય વધારે લાગી શકે છે, જેનું મોટું કારણ છે EVMના મત સાથે VVPATની સ્લીપ મેચ કરવી પડશે. આ પ્રક્રિયામાં વધારે સમય જવાના કારણે સ્પષ્ટ પરિણામ આવવામાં વધારે સમય લાગશે. ચૂંટણી પંચના અધિકારી સુદીપ જૈને કહ્યું કે, આ વખતે ચૂંટણી પરિણામમાં થોડો વધારે સમય લાગી શકે છે. તેમના મત પ્રમાણે આ વખતે પરિણામ 4-5 કલાક મોડા આવવાની શક્યતા છે. EVM અને VVPATની સ્લીપો મેચ કરવાની હોવાથી સમય વધારે થશે જેના કારણે વિપક્ષો EVM સામે સવાલ ઉભા ન કરી શકે.
લોકસભા ચૂંટણીમાં ઈવીએમની સાથે વીવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં વોટિંગ પછી એક સ્લીપ નીકળે છે. હવે જ્યારે 23મેના રોજ મતગણતરી કરવામાં આવશે ત્યારે વોટની સાથે આ સ્લીપને મેચ કરવામાં આવશે. ઈવીએમમાં ચેડા થવાની ફરિયાદ પછી ચૂંટણી પંચે ઈવીએમની સાથે વીવીપેટ લગાવવાનો નિર્ણય કર્યો હતો. પહેલાં દરેક બેઠક પર 1 ઈવીએમની સાથે 1 વીવીપેટ મશીનની સ્લીપ મેચ કરવામાં આવતી હતી. વિપક્ષની માંગણી પછી વિધાનસભામાં તે વધારીને 5 કરી દેવામાં આવી છે.
વિપક્ષ દ્વારા કુલ 50 ટકા ઈવીએમને વીવીપેટ સાથે મેચ કરવાની માંગણી કરી રહ્યા છે. આ વિશે 21 વિપક્ષી પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી હતી. જે અંગે સુપ્રીમ કોર્ટે 7 મેના રોજ વિપક્ષની માગણી ફગાવી દીધી છે. પાંચ તબક્કાનું મતદાન પુરૂ થઈ ગયું છે અને હવે બે તબક્કાની ચૂંટણી જ બાકી છે. આ સંજોગોમાં વિપક્ષની ચૂંટણી પંચ સાથેની આ માંગણી પર કેટલી અસર પડશે તે ચર્ચાનો વિષય છે. જોકે અત્યારે ચૂંટણી પંચે ઉપયોગ કરવામાં આવેલા વીવીપેટના કારણે પરિણામ મોડા આવવાની વાત સ્વીકારી છે. આમ, 23મેના રોજ પરિણામની રાહ જોતા લોકોને થોડી વધારે રાહ જોવી પડશે તે નિશ્ચિત છે.