વૈશ્વિક મહામારી કોરોના વાયરસે ભારત સહિત સમગ્ર દુનિયાને જકડી લીધી છે. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે મોદી સરકારે ભારતમાં 21 દિવસ સુધીનું લૉકડાઉન જાહેર કરી દિધું છે, જે 14 એપ્રિલ સુધી લાગૂ રહેશે. તમામ ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ટ્રેન, મેટ્રો, બસ સહિત તમામ વાહનો પર પણ રોક લગાવવામાં આવી છે.
એર ઈન્ડિયાએ 15 એપ્રિલથી શરૂ કર્યું હતું પેસેન્જરનું બૂકિંગ
દેશમાં વધતા કોરોનાના કહેરને કારણે એર ઈન્ડિયાનો નિર્ણય
30 એપ્રિલ સુધી તમામ બૂકિંગ કેન્સલ કરવામાં આવ્યા
લૉકડાઉન 14 એપ્રિલથી આગળ વધતી અટકળો વચ્ચે એર ઇન્ડિયાએ તમામ ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટોના બુકિંગને 30 એપ્રિલ સુધી બંધ કરી દીધું છે. શુક્રવારે એર ઇન્ડિયાએ કહ્યું કે તમામ ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટો માટે બુકિંગ 30 એપ્રિલ સુધી બંધ રહેશે.
ત્યારે, કોરોના વાયરસ ભારત સહિત દુનિયાભરમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. અત્યાર સુધી ભારતમાં કોરોના વાયરસના 2590થી વધુ મામલો સામે આવ્યો ચૂક્યા છે, જેમાંથી 71 લોકોના મોત થઇ ચૂક્યા છે. દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રથી આવ્યા છે.
ત્યારે આ પ્રકારે વિશ્વભરમાં જીવલેણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 10 લાખ 56 હજાર 770થી વધુ થઇ ચૂકી છે, જેમાંથી 55 હજાર 780થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. આ વૈશ્વિક મહામારીથી સૌથી વધુ ઝપેટમાં ઇટલી છે, જ્યાં 13 હજાર 914થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારબાદ બીજા નંબર પર સ્પેન છે, જ્યાં મરાનારઓની સંખ્યા 10 હજાર 934 પર થઇ ચૂકી છે.