દ્વારકા નગરપાલીકા વિવાદોના ઘેરામાં સંપડાઈ છે. કરોડોની જમીન સસ્તાભાવે લાહણી કરી દેતા સ્થાનિક રહિશોએ આ મુદ્દાને ઉછાડ્યો હતો અને સમગ્ર મામલો ઉચ્ચઅધિકારીઓ સુધી પહોંચ્યો હતો. જોકે નગરપાલીકાનો આ ઠરાવ હવે રદ્દ થતાં નગરપાલીકાના સત્તાધિશો સામે સવાલોની વણઝાર ઉભી થઈ છે.
ઉલ્લેખનીય છે કે દ્વારકા બસ્ટેન્ડ પાસે આવેલી રોમાકિષ્ટો હોટલને આ જગ્યા 30-06-2016ના રોજ નગરપાલકાએ ફુલ-ઝાડ વાવવા માટે ફાળવી હતી. જોકે હોટલના માલિકોએ બાંધકામ કરી દેતા. સ્થાનિકોએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો અને ગુજરાત મ્યુન્સિપલ એક્ટ 258 મુજબ 30-04-2017 ના રોજ કેસ દાખલ કર્યો હતો.
આ કેસ રાજકોટ પ્રાદેશીક કમિશનર કચેરીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જ્યાં તમામ પક્ષકારોની દલિલ સાંભળ્યા બાદ પ્રાદેશીક કમિશનર ગૌરાંગ મકવાણા દ્વારા આ કેસની જીણવટભેર તપાસ હાથ ધરીને નગરપાલીકાના ઠરાવને રદ કરવામાં આવ્યો હતો. આમ દ્વારકા જિલ્લાનું વહિવટીતંત્ર કઈ રીતે રામ ભરોશે ચાલે છે. તે રદ્દ થયેલા ચુકાદા પરથી સ્પષ્ટ જણાવાઈ આવે છે.