ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપનો મોટો નિર્ણય
ભાજપમાં હવે સગાવાદને કોઈ સ્થાન નહીં
સુરતના 24 વર્તમાન નગરસેવકોને નહીં મળે ટિકિટ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગઇકાલે મળેલી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે કોઇ સગાવાદને સ્થાન નહીં. આમ નવી ફોર્મ્યુલાથી વર્ષોથી ચીપકી બેઠેલા નગર સેવકો કપાશે.
જેને લઇને સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 24 વર્તમાન નગરસેવકોને ટિકિટ નહીં મળે. જેમાં 15 નગરસેવકો ત્રણ ટર્મની ફોર્મ્યુલા માં ફિટ, 13 નગરસેવકોની 60 વર્ષ કરતા વધુ વય, 4 નગરસેવકો બંને ફોર્મ્યુલામાં આવતા હોવાથી ટિકિટ કપાશે.
જે નગરસેવકોની ટિકિટ કપાશે તેમાં ડે. મેયર નીરવ શાહ, મેયર ડો. જગદીશ પટેલ, માજી શહેર પ્રમુખ નીતિન ભજિયાવાળા, શંકરલાલ ચેવલી, રાજેશ દેસાઇની ત્રણ ટર્મ થઇ છે. મૂળજી ઠક્કર ત્રણ ટર્મ થઇ હોવાથી ટિકિટ નહીં મળે.
જેમાં ત્રણ મહત્વનાં નિર્ણય લેવામાં આવ્યા છે કે 60 વર્ષથી વધુ ઉંમરનાં કાર્યકર્તાશ્રીને ટિકિટ આપવી નહીં, જેમની 3 ટર્મ પૂરી થઇ ગઇ હોય એમને ટિકિટ નહીં આપવી અને આગેવાનશ્રીઓનાં સગા-સંબંધીઓને ટિકિટ આપવી નહીં. (2/2) pic.twitter.com/vR1kjIQjuk
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપ તરફથી આકરા નિયમ બનાવવામાં આવી રહ્યા છે. ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડે મહત્વનો નિર્ણય લીધો છે. પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયથી નેતાઓની ટિકિટની આશા રોળાશે. ભાજપે નિર્ણય કર્યો છે કે, આ વખતની ચૂંટણીમાં 60 વર્ષથી વધુની વયના લોકોને ટિકિટ અપાશે નહીં.
પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ત્રણ મહત્વના નિર્ણય
આજરોજ મળેલી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ત્રણ મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. જેમાં 60 વર્ષથી વધુ ઉંમરનાને દાવેદારને તક નહીં મળે, ત્રણ ટર્મ પુરી થાય એમને પણ ટિકિટ નહીં મળે, આગેવાનોના સગાને ટિકિટ નહીં મળે.