કોંગ્રેસમાં હાલ હાઈ વોલ્ટેડ ડ્રામા ચાલી રહ્યો છે. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના રાજીનામા પર અસમંજસ છે ત્યાં તેણે ચોંકાવનારૂ નિવેદન આપ્યુ છે.
ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો મહત્વનો નિર્ણય
પાર્ટીના હિતમાં રાજીનામું પરત ખેંચવાનો કર્યો નિર્ણય
ગઈકાલે પક્ષપ્રમુખને રાજીનામું આપ્યું હતું
ખેડાવાલાના રાજીનામા પર અસમંજસ
ઈમરાન ખેડાવાલાના રાજીનામાને લઈને અસમંજસ છે ત્યારે તેણે જણાવ્યુ હતુ કે, હું પક્ષનું કામ તો કરતો જ રહીશ. જે ઉમેદવાર છે તેમને જીતાડવાના પ્રયાસ કરીશ. 2 મેન્ડેટ રદ કર્યા તેનો મને વિરોધ છે. હું હજુ હાઈકમાન્ડના જવાબની રાહ જોવુ છુ. મે રાજીનામુ હજુ પરત નથી ખેંચ્યુ. હજુ હું વિધાનસભાના અધ્યક્ષનો સમય માગવાનો છું. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારનો હું પ્રચાર કરીશ. ખેડાવાલાના રાજીનામા પર અસમંજસ
શું કહ્યું હતુ ગઈકાલે
ગઈકાલે ઈમરાન ખેડાવાલાએ કહ્યું હતું કે મે ધારાસભ્ય પદેથી રાજીનામું પાર્ટી અધ્યક્ષને સોપ્યું છે. જો કે MLA પદેથી રાજીનામું વિધાનસભા અધ્યક્ષને સોપવાનુ હોય છે. પાર્ટી અધ્યક્ષ બાદ હવે વિધાનસભા અધ્યક્ષનો સમય માગીશ તેવી વાત કરે છે. પાર્ટીમાંથી રાજીનામુ આપવું હોય તો તે પાર્ટી અધ્યક્ષને આપવાનું હોય છે. બીજી તરફ પાર્ટીમાં કામગીરી કરતો રહીશ તેવી વાત ખેડાવાલા કરે છે.
મનપા માટે કોંગ્રેસની રણનીતિ
કોંગ્રેસે અમદાવાદમાં 50% કોર્પોરેટરની કાપી ટિકિટ
કોંગ્રેસે અમદાવાદમાં 48 કોર્પોરેટરમાંથી 24ને જ રિપિટ કર્યા