ગુજરાતમાં પેટાચૂંટણી બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે વળી ભાજપ પેટાચૂંટણીના પરિણામ વખતે જ સંગઠનનું નવું માળખું જાહેર કરે તેવો પણ ગણગણાટ છે એવામાં કોંગ્રેસમાંથી અયાતી નેતા અલ્પેશ ઠાકોરને લઈને કેટલાક સવાલો ઉઠી રહ્યા છે.
મહેસાણા: અલ્પેશ ઠાકોરનો આજે જન્મદિવસ
કાર્યકરો સાથે કરી જન્મદિનની ઉજવણી
રાજનીતિમાં આવતા ચઢાવ ઉતાર વિશે કરી વાત
જન્મદિવસે અલ્પેશ ઠાકોર આજે મહેસાણામાં ઉજવણી કરી હતી. અલ્પેશ ઠાકોરે મહેસાણાના કાર્યકરો સાથે જન્મ દિવસ ઉજવ્યો હતો ત્યારે આ પ્રસંગે તેણે કેટલાક સૂચક નિવેદન આપ્યા છે.
જ્યારે અલ્પેશ ઠાકોરને પૂછાયું કે શું સાઈડ લાીન કરાયા છે? ત્યારે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતુ કે, અલ્પેશે લોકો ને એવું લાગે છે કે અલ્પેશભાઈ હમણાં બોલતા નથીકોરોનામાં બોલવું એ યોગ્ય નથી. અલ્પેશ ઠાકોર ક્યારેય દબાયો નથી અને દબાશે નહીં. રાજનીતિમાં હંમેશા ઉતાર ચઢાવ આવે છે.
અલ્પેશને હાલ સાઈડલાઈન કરાયા હોવાનો પણ ગણગણાટ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ અલ્પેશને કોરાણે મૂકાય એવી ચર્ચાએ હાલ ગાંધીનગર અને કમલમમા ચાલી રહી છે. પક્ષપલટો કરનાર અલ્પેશને હાલ સાઈડલાઈન કરાયા હોવાનો પણ ગણગણાટ છે. અનામત આંદોલનથી આગળ આવીને પહેલા કોંગ્રેસ અને પછી ભાજપના પક્ષે બેઠેલા અલ્પેશને ફરીથી લોકોએ ચૂંટ્યા નહતા જેને પગલે પાર્ટીમાંથી તેનું મહત્વ ઘટ્યુ હોવાની પણ ચર્ચા છે.