સૌરાષ્ટ્રમાં દિવાળી સમાન લીલી પરિક્રમાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે, આ વર્ષે પરિક્રમા તો થશે પણ માત્ર 400 લોકોને જ મંજૂરી.
જૂનાગઢમાં યોજાશે લીલી પરિક્રમા
લીલી પરિક્રમાને લઇ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળી બેઠક
400 લોકોને પરિક્રમામાં જવા માટે અપાઇ પરવાનગી
પરિક્રમમાં કોને સમાવવા તેનો નિર્ણય સાધુ સંતો અને મનપા કરશે
જૂનાગઢમાં આ વર્ષે યોજાશે લીલી પરિક્રમા
સૌરાષ્ટ્રમાં આસ્થાનું કેન્દ્ર એવા જૂનાગાઢમાં કોરોના વાયરસનાં કારણે છેલ્લા બે વર્ષથી લીલી પરિક્રમાનું આયોજન કરી શકાયું ન હતું ત્યારે આ વર્ષે કલેકટરની બેઠકમાં લીલી પરિક્રમાને મંજૂરી આપવામાં આવી છે. આજે જિલ્લાના કલેકટરની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જોકે આ નિર્ણય બાદ હિન્દુ સંગઠનોની નારાજગી પણ સામે આવી છે.
400 લોકોને પરિક્રમામાં જવા માટે અપાઈ મંજૂરી
જૂનાગઢમાં જે લીલી પરિક્રમામાં દર વર્ષે હજારો લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેતા હતા ત્યાં આ વર્ષે માત્ર 400 લોકોને જ પરિક્રમા માટે પરવાનગી આપવામાં આવી છે. હવે આ ચાર સો લોકોનાં કોનો કોનો સમાવેશ કરવામાં આવે તેનો નિર્ણય સાધુ સંતો અને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. આ મુદ્દે વિશ્વ હિન્દુ સંગઠને નારાજગી વ્યક્ત કરી છે, સંગઠને કહ્યું કે માત્ર ફોર્માલિટી માટે આ બેઠક કરવામાં આવી છે.
પરંપરાગત કાર્તિકી પૂનમનો મેળો સતત બીજા વર્ષે રદ્દ
12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન ધરાવતા સોમનાથ મંદિરમાં પરંપરાગત કાર્તિકી પૂનમનો ચાલુ વર્ષે પણ મોકૂફ રાખવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ નહીંવત છે પરંતુ ત્રીજી લહેરના ભણકારાને ધ્યાનમાં રાખીને તંત્ર સાબદુ થયું છે. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 1955થી દરવર્ષે યોજાતા કાર્તિકી પૂનમનો મેળો સતત બીજા વર્ષે મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે,1955માં સોમનાથ ટ્રસ્ટના તત્કાલિન અધ્યક્ષ મોરારજી દેસાીએ આ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારથી આ મેળો કાર્તિકી પૂર્ણિમાથી 5 દિવસ માટે યોજાય છે. જેમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ દાદાને શીશ ઝૂકાવે છે અને મેળાનો આનંદ માણે છે.