અગામી લોકસભાની ચૂંટણીને લઇને આમ તો ભાજપની બહુમતનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ હાલમાં એવું માનવું જોઇએ કે, લડાઇ ગઠબંધનની છે. છેલ્લાં 30 વર્ષી જેમ આ વખતે પણ મહત્વની ભૂમિકા ગઠબંધનની રહેશે. હાલમાં મેદાનમાં એક બીજી ચૂંટણી પૂર્વ ગઠબંધન વાળી ઊભી છે અને બીજી તરફ મુખ્ય ગઠબંધન મુખ્યત્વે ચૂંટણી પછીના દૃષ્ટિકોણની તપાસ કરે છે. ઇતિહાસ સૂચવે છે કે, જો સરકાર સ્થિર છે, તો ગઠબંધનનો અનુભવ ચૂંટણીઓ પછી વધુ સારો રહે છે.
આઝાદીના બે દાયકા પછી એટલે કે, 1967થી ગઠબંધનનો સમયગાળો પ્રાદેશિક સ્તરે શરૂ થયો, પરંતુ કેન્દ્રીય સ્તરે,1977માં પ્રથમ વખત ગઠબંધનની સરકાર રચવામાં સફળતા મળી. ત્યારબાદ 1989માં શરૂ થયેલ ગઠબંધનની પ્રક્રિયા હજુ ચાલું છે. 1984 બાદ 2014માં પ્રથમ વખત પૂર્ણ બહુમતિ મેળવનાર ભાજપાએ પણ ચૂંટણી પૂર્વ ગઠબંધનના સાથીઓનો સાથ નથી છોડ્યો અને આગળ પણ તેમને સાથે રાખીને ચાલે છે.
દેશમાં આજે પણ ગઠબંધનની સરકારોના અનુભવ મળતા રહે છે. જેથી તેના પક્ષ કે વિપક્ષમાં ડાયરેક કોઇ રાય આપવામાં આવતી નથી. 1977માં કોગ્રેસને પરાસ્ત કરનાર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પૂર્વ ગઠબંધનનું જ પરિણામ હતું, પરંતું આ ગઠબંધન સરકાર અઢી વર્ષમાં તુટી ગઇ કારણ કે, ગઠબંધન પાછળ વૈચારિક આધાર નહીં, પણ તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીનું અંગત કારણ હતું. ઇન્દિરા ગાંધીને હટાવ્યા બાદ પરસ્પર વિરોધી વિચારધારાઓનો ટકરાવ શરૂ થઇ ગયો અને કેન્દ્રમાં ગઠબંધનનો પ્રથન પ્રયોગ ખુબ ખરાબ સાબિત થયો.
ભારતીય જનતા પાર્ટીની જેમ 1989માં વિશ્વનાથ પ્રતાપસિંહની સરકારમાં તકવાદી ગઠબંધન પણ જોવા મળ્યું હતું, જેમાં દક્ષિણપંથી ભાજપા અને વામપંથી કમ્યુનિસ્ટ પાર્ટીઓ સાથે-સાથે હતી. દેખીતી રીતે આ સરકાર પણ અલ્પજીવી સાબિત થઈ.
1989થી 1999ના સમયગાળામાં દેશને આઠ ગઠબંધન સરકારો જોવા મળી. આ રીતે ગઠબંધન અને લઘુમતી સરકારો જે ભાજપના વિરોધના નામે બનાવવામાં આવી હતી તે ખરાબ સાબિત થઇ, પરંતુ 1991થી 1996 સુધી સાંસદોની ખરીદી અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો હોવા છતાં, નરસિંહ રાવની આગેવાની હેઠળ કૉંગ્રેસ ગઠબંધન સરકારે પાંચ વર્ષનો કાર્યકાળ સફળતા પૂર્વક પૂર્ણ કર્યો. અટલ બિહારી વાજપેયીના સમય દરમિયાન ગઠબંધનની સફળતા પ્રથમ વખત જોવા મળી અને ડો. મનમોહનસિંહે દસ વર્ષ સુધી ચાલતી ગઠબંધન સરકાર માટે રેકોર્ડ તૈયાર કર્યો.