હાલ ચશ્મા હોવા એક ફેશન થઇ ગઇ છે. પરંતુ કેટલીક વખત સતત ચશ્મા પહેરી રાખવાથી માથાના દુખાવા જેવી ફરિયાદ રહે છે. તો ક્યારેક કોઇને વધારે નંબર હોવાથી ચશ્માના નંબર લેસરથી પણ ઊતારી શકતા નથી. જો આજે અમે તમને એક એવા ઘરગથ્થૂ ઉપાય વિશે જણાવીશું જેનાથી તમે 10 જ દિવસમાં નંબર ઊતારી શકશો.
આજકાલની લાઇફસ્ટાઇલ જ કંઇક એવી થઇ ગઇ છે કે દર બીજી વ્યક્તિને આંખો પર ચશ્મા લાગેલા હોય છે. નાના નાના બાળકો પણ ચશ્મા પહેરી રહ્યા છે. એનું સૌથી મોટું કારણ છે આજકાલનું ખોટું ખાવાનું. જેનાથી શરીરને જરૂરી પોષક તત્વો મળતાં નથી અને એનાથી આંખોની રોશની ઓછી થઇ જાય છે. જો 40 થી 45 વર્ષના આયુષ્યમાં રોશની ઓછી થઇ જાય છે તો એને બીમારી કહી શકાય નહીં. વધતી ઉંમર સાથે રોશની ઓછી થવી એ સામાન્ય વાત છે. પરંતુ તમે પરેશાન થશો નહીં આજે અમે તમારા માટે એક એવો રામબાણ નુસ્ખો લઇને આવ્યા છીએ જે થોડાક જ દિવસોમાં ચશ્મા ઊતારી દે છે.
જરૂરી સામગ્રી
– બદામ
– વરિયાળી
– ખાંડ
સૌથી પહેલા સમાન પ્રમાણમાં ત્રણેય ચીજો લઇને એક સાથે પીસીને પાઉડર બનાવી લો. જો તમને કુબ્જા ખાંડ નથી મળતી તો સાધારણ ખાંડ લઇ શકો છો. પછી આ પાઉડરને રોજે રાતે એક ચમચી સૂતા પહેલા દૂધ સાથે સેવન કરો. તમે ઇચ્છો તો મિશ્રીનું પ્રમાણ ઓછું પણ કરી શકો છો. તમે જોશો કે 10 થી 12 દિવસમાં તમને આંખની રોશનીમાં ફરક જોવા મળશે. પરંતુ જો તમને ડાયાબિટીસ હોય તો આ નુસ્ખાનો ઉપયોગ કરશો નહીં.