ભારતી જીવન વીમા નિગમ (LIC) એવી પેન્શન સ્કીમ ચલાવે છે જેમાં તમને મેચ્યોરિટી પર તગડી રકમ અને પેન્શનનો લાભ પણ મળશે. ચાલો જાણીએ.
પેન્શન મેળવવા માટે બેસ્ટ છે એલઆઈસીની આ પોલિસી
LICની ખાસ સ્કીમમાં આજે જ કરો રોકાણ
આ સ્કીમમાં મળશે પેન્શન
જીવન નિધિ પોલિસી એલઆઈસીની એનડોમેન્ટની સાથે પેન્શન પ્લાનની સુવિધા મળે છે. તેનો મતલબ એ થયો કે જમાકર્તા પોતાના હિસાબથી પોલિસી પીરિયડ પસંદ કરે છે અને પેસા જમા કરે છે. જ્યારે પ્રીમિયમ ભરવાનો પીરિયડ ખતમ થઈ જાય તો મેચ્યોરિટી આવે છે. મેચ્યોરિટી સમયે એલઆઈસીનો જે પેન્શન પ્લાન હશે અને જે રેટ પર હશે, તેને ખરીદવો પડશે. પછી એ જ પ્રમાણે તમને પેન્શન મળશે. આ પોલિસીના નિયમ મુજબ મેચ્યોરિટીની કુલ રકમનો ત્રીજો ભાગ જ ઉપાડી શકાય છે. બાકીના અથવા પૂરા પેન્શન પ્લાનમાં લગાવવા પડશે.
સરળ ભાષામાં સમજો
માની લો કે 35 વર્ષના સર્વેશે 25 વર્ષના પોલિસી પીરિયડ માટે જીવન નિધિ પ્લાન ખરીદ્યો. તેણે 10 લાખ રૂપિયા સમ એશ્યોર્ડ માટે પોલિસી ખરીદી છે. આ હિસાબથી સર્વેશને દર મહિને 3413 રૂપિયા કે એમ કહી શકાય કે રોજના 100 રૂપિયા ચૂકવવા પડશે. 25 વર્ષ બાદ આ પ્લાન મેચ્યોર થઈ જશે. ત્યારે સર્વેશને આ રીતે પૈસા મળશે. સમ એશ્યોર્ડ 10 લાખ, ગેરંટીડ એડિશન 2.50 લાખ, બોનસ 10.40 લાખ અને ફાઈનલ એડિશનલ બોનસ તરીકે 4.50 લાખ રૂપિયા મળશે. આ રીતે કુલ 27.40 લાખ રૂપિયા મળશે.
જોકે, સર્વેશ આ પૂરા પૈસા ઉપાડી નહીં શકે. તે ત્રીજો ભાગ એટલે કે 9.13 લાખ ઉપાડી શકે છે. બાકીના પૈસા પેન્શન પ્લાનમાં લગાવવા પડશે. એ સમયે મેચ્યોરિટીના પૈસા પર જે વ્યાજદર હશે એ પ્રમાણે સર્વેશને પેન્શન મળશે. આ કારણથી જાણકારો આ પ્લાનને એટલો કારગર માનતા નથી. જાણકારો મુજબ 25 વર્ષ બાદ પૈસાની શું વેલ્યૂ હશે એ કોઈ જાણતું નથી. જેને જોતાં 25 વર્ષ માટે પૈસા બ્લોક કરવા યોગ્ય નથી. અહીં બ્લોક કરવાનો મતલબ છે કે મેચ્યોરિટીનો મોટો ભાગ પેન્શન સ્કીમમાં લગાવવો પડશે અને તમારા હાથમાં ત્રીજો ભાગ જ આવશે.