2 સપ્ટેમ્બર 2019 એટલે કે આવતીકાલે સોમવારથી ગણેશ ચતુર્થીનો ઉત્સવ ચાલુ થઈ રહ્યો છે. આ સમયે દરેક ઘરોમાં ગણપતિ ઉત્સવ દરમિયાન ગણપતિ બાપ્પા મોરિયાની ધૂન બોલાવવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે ગણપતિ બાપ્પા મોરિયા શા માટે કહેવામાં આવે છે. અને સાથે જ જાણી લો કે ગણેશજીના 32 નામ કયા છે. જે તમે ભાગ્યે જ જાણતા હશો.
“ગણપતિ બાપ્પા મોરિયા” સૂત્ર કેમ બોલાય છે તેની પાછળની કથા પણ જાણીએ. મહારાષ્ટ્રના મોરગાંવ મંદિર સાથે નજીકથી જાડાયેલા મોરિયા ગોસાવીએ ગણેશ પૂજાને ખ્યાતિ અપાવી હતી. સંત મોરિયા ગોસાવીએ જીવનભર માત્ર ગણેશની જ પૂજા કરી. તેમની યાદમાં મોરગાંવના ગણેશ મોરેશ્વર કહેવાયા અને ભક્તો ગણેશને ગણપતિ બાપ્પા મોરિયા કહે છે. પેશ્વાઓએ મરાઠા સામ્રાજ્યનું શાસન સંભાળ્યુ ત્યારે તેમના રાજ ભગવાન ગણેશ બનાવ્યા. તેઓ જ્યાં ગયા ત્યાં ગણેશ પૂજન કરાવ્યું.
૧૮૯૩ સુધી ગણેશ ચતુર્થીનો ઉત્સવ મોટેભાગે રુઢિચુસ્ત બ્રાહ્મણો જ ઉજવતા હતા. ૧૮૯૩માં બાળગંગાધર ટિળકે પૂનામાં આયોજન કરી આ ઉત્સવને જાહેર ઉત્સવ બનાવી દીધો. રાજકીય મેળાવડા અંગ્રેજાને પસંદ નહોતા એટલે ટિળકે અંગ્રેજા સામે સંગઠિત થવા ગણેશ ઉત્સવ જેવા ધાર્મિક ઉત્સવનો આશરો લીધો. ભવિષ્યના રાજકીય મેળાવડાની રુપરેખા પણ અહી જ ઘડાવવા લાગી.