યુક્રેનમાં રશિયાનું વધી રહેલા આક્રણની વચ્ચે ભારત સરકારે પણ પોતાના નાગરિકોને પાછા લાવવાના અભિયાન ઝડપી કર્યું છે. સરકારે નવી એડવાઈઝરી જાહેર કરતા યુક્રેનની રાજધાની કીવથી આજે જ નિકળી જવાનું કહેવામાં આવ્યું છે.
રશિયાએ યુક્રેન પર કર્યું છે મોટું આક્રમણ
ભારત સરકાર પોતાના નાગરિકો માટે ચિંતિત
યુક્રેનમાંથી ભારતીયોને કાઢવા માટે ઓપરેશન ગંગા એક્ટિવ
યુક્રેનમાં રશિયાનું વધી રહેલા આક્રણની વચ્ચે ભારત સરકારે પણ પોતાના નાગરિકોને પાછા લાવવાના અભિયાન ઝડપી કર્યું છે. સરકારે નવી એડવાઈઝરી જાહેર કરતા યુક્રેનની રાજધાની કીવથી આજે જ નિકળી જવાનું કહેવામાં આવ્યું છે. યુક્રેનમાં હાલત મીનિટે મિનિટે બદલાઈ રહી છે, સ્થિતિ બદથી બદતર થતી જાય છે. કેટલીય જગ્યાએ રશિયાની મિસાઈલો તાંડવ મચાવ્યું છે. આ તમામની વચ્ચે ભારતે પણ યુક્રેનમાં પોતાના નાગરિકોને બચાવવા માટે ઓપરેશન ગંગા ચલાવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત યુક્રેનમાં ફસાયેલા હજારો ભારતીયનો પાછા સ્વદેશ લાવવામાં કામ ચાલી રહ્યું છે. મોદી સરકારના કેટલાય મંત્રીઓ આ કામમાં જોતરાયેલા છે. જો કે, આ કંઈ પહેલી વાર નથી, જ્યારે આટલા મોટા પાયે રેસ્ક્યૂ અભિયાન બીજા દેશોમાંથી ચલાવામાં આવ્યું હોય. પહેલા પણ આવા કેટલાય ઓપરેશન પાર પાડવામાં આવ્યા છે. જોઈ લો અત્યાર સુધીમાં કેટલાય અઘરાં ઓપરેશનને ભારતને સફળ બનાવ્યા છે.
કુવૈતમાં ચલાવ્યું મોટુ રેસ્ક્યુ અભિયાન
જ્યારે ઈતિહાસમાં ભારતીય સરકાર દ્વારા કરવામા આવેલા રેસ્ક્યૂ અભિયાનો વિશે વાત આવશે, તો પછી આપને જણાવી દઈએ કે, ગલ્ફ દેશ કુવૈતમાં વર્ષ 1990-91માં થયેલું રેસ્ક્યુ ઓપરેશન સૌથી મોટુ ઓપરેશન હતું. આ અભિયાન અંતર્ગત ભારત સરકારે વિમાને દ્વારા લગભગ 1,70,000 ભારતીયોની વતન વાપસી કરી હતી. બે મહિના સુધી ચાલેલા આ અભિયાન દરમિયાન ભારતે લગભગ 500થી વધારે ફ્લાઈટ ઉડાવી હતી.
ઓપરેશન રાહત
ભારતીય વાયુસેનાએ વર્ષ 2015માં યમનથી ઓપરેશન રાહત ચલાવ્યું હતું. આ રેસ્ક્યૂ અભિયાનમાં સરકારે યમનમાંથી 4640 ભારતીયો હેમખેમ વતન વાપસી કરાવી હતી. એટલું જ નહીં 41 દેશોના 960 નાગરિકોને પણ ભારતે યમનમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સૌથી પહેલા 1 એપ્રિલ 2015માં એડન પોર્ટથી ઓપરેશન રાહતની શરૂઆત થઈ હતી, જે બાદ 3 એપ્રિલથી ભારતીય વાયુસેના અને એર ઈંડિયા આગળ આવ્યું હતું. તે સમયે ભારતે ઝડપથી કામ હાથમાં લઈને ભારતીયોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
ઓપરેશન મૈત્રી
ઓપરેશન મૈત્રી કઓઈ યુદ્ધગ્રસ્ત દેશમાં નહીં, પણ નેપાળમાં વર્ષ 2015માં આવેલા ભૂકંપ બાદ ભારત સરકાર દ્વારા ચલાવામાં આવ્યું હતું. આપને ખબર હશે કે, નેપાલ અને ભારત વચ્ચે દાયકાઓથી સારી મિત્રતા રહી છે. જ્યારે વર્ષ 2015માં નેપાળમાં ભૂકંપ આવ્યો ત્યારે ભારતે પાડોશી દેશની ખૂબ મદદ કરી હતી. ભારતે કુલ 51888 લોકોને બચાવ્યા હતા. તેમાં 785 વિદેશ નાગરિકોને પણ ટ્રાંઝિટ વિઝા આપ્યા હતા.
ઓપરેશન સુકૂન
ઓપરેશન સુકૂન ભારતીય નૌસેના દ્વારા વર્ષ 2006માં લેબનાન યુદ્ધ દરમિયાન સંઘર્ષ વિસ્તારમાંથી ભારતી, શ્રીલંકા અને નેપાળી નાગરિકોની સાથે સાથે ભારતીય જીવનસાથીઓ સાથે લેબનાની નાગરિકોને બહાર કાઢવા માટે એક ઓપરેશન ચલાવ્યું હતું. ભારતીય નૌસેના દ્વવારા કરવામાં આવેલા આ સૌથી મોટા ઓપરેશનમાં 1764 ભારતીયો, 112 શ્રીલંકાઈ, 64 નેપાળી અને 7 લેબનાની નાગરિકો સહિત કુલ 2280 લોકોને હેમખેમ કાઢ્યા હતા.