સોમવારે મહાદેવજીને જળ ચઢાવવાથી લાભ થાય છે. આજના દિવસે દૂધનો ઉપયોગ ઓછો કરવાની સલાહ આપવામાં આવે છે. ઓમ સોમાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળી શકે છે. ગળી અને મીઠી વસ્તુઓનું દાન કરવાથી પણ લાભ થઈ શકે છે.
મેષ (અ,લ,ઈ)
આજનો દિવસ મધ્યમ રહે. આપનું મન આજે પ્રસન્ન રહેશે. આકસ્મિક લાભનાં યોગ છે. મિત્રો સાથે મતભેદ થવાની સંભાવના, સાચવવું.
વૃષભ (બ,વ,ઉ)
પારિવારિક તનાવ જણાય. જમીન મકાનનાં કામ આજે હાથમાં લેવા નહીં, મુશ્કેલી જણાય. આજનાં દિવસે કાર્યક્ષેત્રે વાતાવરણ અનુકૂળ. દિવસ દરમિયાન કામકાજમાં સફળતા જણાય.