શરીરમાં લોહીની ખામીનું કારણ અનેક બીમારી હોઈ શકે છે. પણ જો તમે આહારમાં કેટલીક ચીજોને સામેલ કરી લેશો તો તમે તેને દવાઓ વિના જ સુધારી શકો છો.
હિમોગ્લોબિનની ખામીને દૂર કરવા કરો આ કામ
ડાયટમાં સામેલ કરો આ ખાસ વસ્તુઓ
જાણો કોના શરીરમાં કેટલું હિમોગ્લોબિન જરૂરી છે
આપણા શરીરના તમામ પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં હોય તે જરૂરી છે. શરીરને સ્વસ્થ રાખવા સંતુલિત ખોરાક પણ જરૂરી છે. પોષક તત્વોની ખામી અને તેનું વદારે હોવું તે પણ અનેક બીમારીઓ લાવી શકે છે. તો શરીરમાં હિમોગ્લોબિન નિયંત્રિત રહે તે માટે ખાસ ચીજોને ડાયટમાં સામેલ કરી લો તે જરૂરી છે.
જાણો કોના શરીરમાં કેટલું હિમોગ્લોબિન હોવું જોઈએ
પુરુષોના શરીરમાં 13.5થી 17.5 ગ્રામ પ્રતિ 100 મિલિલિટર હિમોગ્લોબિન જરૂરી છે. તો મહિલાઓને પ્રતિ 100 મિલિલિટરમાં 12-15.5 ગ્રામની જરૂર રહે છે. તો જાણો કઈ ચીજોના સેવનથી તમે તેને મેન્ટેન કરી શકો છો.
તરબૂચ
ગરમીની સીઝનમાં તરબૂચ ખાવું શરીર માટે ફાયદારુપ છે પણ સાથે તેને ખાવાથી હિમોગ્લોબિનની ખામી રહેતી નથી. તરબૂચમાં વિટામિન સી ભરપૂર રહે છે. તે આયર્નની ખામીને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય શરીરને હાઈડ્રેટેડ રાખે છે. તરબૂચ ખાવાથી તમે હેલ્ધી અને સ્વસ્થ રહો છો.
લીલા શાક
ડાયટમાં કેળા, પાલક, અન્ય લીલા શાક સામેલ કરો. તે આયર્નનો સારો સોર્સ છે. જે તમારા સ્વાસ્થ્યને માટે ફાયદો કરે છે. આ ચીજોના સેવનથી એનિમિયાની તકલીફ જલ્દી દૂર થાય છે.
ખાટા ફળ
તમે તમારા ડાયટમાં ખાટા ફળો જેમકે નારંગી, લીંબુ, દ્રાક્ષનું સેવન કરો છો તો આ ચીજો વિટામિન સીનો મુખ્ય સોર્સ છે. વિટામિન સી આયર્નને શોષી લે છે. તેનઆથી શરીરમાં હિમોગ્લોબિન મેન્ટેન રહે છે.
દાડમ
દાડમ આયર્ન, કેલ્શિયમ, ફાઈબર અને અન્ય પોષક તત્વોથી ભરપૂર રહે છે. જે લોકોમાં લોહીની ખામી હોય છે તેમને દાડમ ખાવાનું કહેવામાં આવે છે. આ ફ્રૂટને સતત ખાવાથી હિમોગ્લોબિન મેન્ટેન રહે છે.
ખજૂર
ખજૂરમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. તે શરીરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તેમાં આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. જે રેડ બ્લડ સેલ્સના કાઉન્ટ વધારે છે.
સીડ્સ અને નટ્સ
જો તમે ડાયટમાં કોલાના બીજ, ચિયા સીડ્સ અને ફ્લેક્સ સિવાય બદામ, કાજુ અને પીનટ સામેલ કરો છો તો તમે વધારે આયર્ન મેળવી શકો છો. તે શરીરમાં તેને શોષી લે છે અને હિમોગ્લોબિનને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે.