ચૈત્ર નવરાત્રી પર નાડાછડી બાંધવાનું ખૂબ જ મહત્વ હોય છે. જાણો નાડાછડી બાંધતા સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
રક્ષા માટે નાડાછડી કરવામાં આવે છે ધારણ
નેગેટીવ એનર્જી રહે છે દૂર
3 પ્રકારના દોરાનો થાય છે ઉપયોગ
રક્ષા માટે નાડાછડી કરવામાં આવે છે ધારણ
નાડાછડી ધારણ કરવાની પરંપરા ઘણી જૂની છે. સામાન્ય રીતે તેને કોઈ પર્વ કે તહેવાર અથવા પૂજા - પાઠનાં સમયે ધારણ કરવામાં આવે છે. આ ઉપરાંત, ચૈત્ર નવરાત્રી દરમિયાન પણ નાધાછાદ ધારણ કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. આ બનાવવામાં 3 પ્રકારના દોરાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં લાલ, પીળા કે સફેદ રંગનાં દોરાનો ઉપયોગ થાય છે. માન્યતા છે કે 3 દોરા ત્રણ શક્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનાં પ્રતિક છે. હિંદુ ધર્મમાં નાડાછડી રક્ષા માટે ધારણ કરવામાં આવે છે. આ જ કારણ છે કે તેને રક્ષા સૂત્ર પણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે જે વ્યક્તિ નાડાછડી વિધિ વિધાનથી ધારણ કરે છે, તેને દરેક પ્રકારની મુશ્કેલીઓથી રક્ષા મળે છે. આવો જાણીએ કે નાડાછડી ધારણ કરવાની સાચી રીત કઈ છે અને અલગ અલગ ઈચ્છાઓની પૂર્તિ માટે ક્યા પ્રકારે નાડાછડી ધારણ કરવી જોઈએ.
આ બાબતોનું ખાસ રાખવું પડશે ધ્યાન
ધર્મ શાસ્ત્રો અનુસાર, નાડાછડીને મંત્રો સાથે જ બાનવી જોઈએ. સાથે જ તેને કોઈ દિવસે પૂજા બાદ ધારણ કરવી જોઈએ. લાલ, પીળા અને સફેદ રંગની નાડાછડી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જૂની નાડાછડીને એવા સ્થાન પર મુકવી જોઈએ, જેથી તેના પર કોઈનો પગ ન આવે.
અલગ અલગ ઈચ્છાઓની પૂર્તિ માટે ક્યા પ્રકારે નાડાછડી ધારણ કરશો?
શિક્ષામાં ઉન્નતી અને ભણવામાં એકાગ્રતા માટે ઓરેંજ રંગની નાડાછડી ધારણ કરવામાં આવે છે. તેને કોઈપણ ગુરુવારનાં દિવસે ધારણ કરવી ઉત્તમ માનવામાં આવે છે. લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે સફેદ રંગની નાડાછડી ધારણ કરવી જોઈએ. તેને શુક્રવારનાં દિવસે ધારણ કરવી શુભ માનવામાં આવે છે.