આજે અક્ષય તૃતીયાનાં દિવસે પંચ મહાયોગ બની રહ્યો છે. જાણો આજના દિવસે શું શું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે.
આજે અક્ષય તૃતીયા
આજે બની રહ્યો છે પંચ મહાયોગ
ધાતુની ખરીદી કરવી આજના દિવસે શુભ માનવામાં આવે છે
આજે અક્ષય તૃતીયા
વૈશાખ શુક્લની તૃતીયાને અક્ષય તૃતીયાનાં પર્વ તરીકે મનાવવામાં આવે છે, જે આજે એટલે કે 3 મે મંગળવારનાં રોજ છે. આ વર્ષે અક્ષય તૃતીયા પર એવો શુભ સંયોગ બને છે, જે અત્યંત દુર્લભ હોય છે. આ કારણે આ અક્ષય તૃતીયાનું મહત્વ વધારે વધી ગયું છે. આ દિવસે કરવામાં આવતા શુભ કામ જીવનમાં અપાર સુખ-સમૃદ્ધિ આપે છે. અક્ષય તૃતીયાને આમ પણ વિવાહ, ગૃહ પ્રવેશ, મુંડન, ઘર-ગાડી ખરીદવા માટે સારું મુહૂર્ત માનવામાં આવે છે.
અક્ષય તૃતીયા પર બન્યો પંચ મહાયોગ
આ વર્ષે અક્ષય તૃતીયાનાં દિવસે ગ્રહોનો અદભૂત સંયોગ પણ બની રહ્યો છે. આ સંયોગમાં સોના ચાંદી જેવી સમૃદ્ધિ લાવનારી વસ્તુઓ ખરીદવી શુભ સાબિત થશે. જ્યોતિષ અનુસાર, આજે અક્ષય તૃતીયા પર ગ્રહોના રાજા સૂર્ય મેષ રાશિમાં, ચંદ્ર કર્ક રાશિમાં, શુક્ર અને ગુરુ મીન રાશિમાં અને શનિ પોતાની રાશિ કુંભમાં રહેશે. આ ઉપરાંત, આજે કેદાર, શુભ કર્તરી, ઉભયચરી, વિમલ અને સુમુખ જેવા પાંચ રાજયોગ પણ બની રહ્યુઆ છે. કુલ મળીને આટલા શુભ યોગોનો મહાસંયોગ આવનાર 100 વર્ષો સુધી નહીં બને.
જરૂર કરો ખરીદી
આવા મહાસંયોગમાં શુભ વસ્તુઓની ખરીદી ખૂબ જ લાભ અપાવશે. આમ તો અક્ષય તૃતીયાનાં દિવસે સોના-ચાંદીની ખરીદીને શુભ માનવામાં આવે છે, પરંતુ જો તે ખરીદી શકો તેમ નથી, તો અન્ય ધાતુ જેવી કે તાંબુ-પીતળની કોઈપણ વસ્તુ ખરીદી શકો છો. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિવાળી વસ્તુઓની ખરીદીનાં યોગ બનતા રહે છે.
આ ઉપરાંત, આજના દિવસે પ્રોપર્ટીમાં રોકાણ કરવું પણ શુભ માનવામાં આવે છે. આમ પણ સંપત્તિ ખરીદવા અને ગાડી સાથે જોડાયેલ મામલાઓને નીપટાવવા માટે મંગળવારના દિવસને શુભ માનવામાં આવે છે. આ દિવસે નવું કામ શરુ કરવું પણ શુભ માનવામાં આવે છે.