માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે ભક્તો ઘણા ઉપાયો કરે છે. જાણો માતા લક્ષ્મી આગમન પહેલા ક્યા ક્યા સંકેતો આપે છે.
માં લક્ષ્મીની કૃપાથી જાતકો થઇ જાય છે માલામાલ
ભક્તો માતાની કૃપા માટે કરે છે અઢળક ઉપાયો
માતા લક્ષ્મી આગમન પહેલા આપે છે ઘણા શુભ સંકેતો
માં લક્ષ્મીની કૃપાથી જાતકો થઇ જાય છે માલામાલ
ધનની દેવી માં લક્ષ્મીની કૃપા માટે ભક્તો તેમની પૂરા હૃદયથી પૂજા કરે છે, જેથી માં લક્ષ્મીનાં આશીર્વાદ તેમના પર બન્યા રહે. એવી માન્યતા છે કે માં લક્ષ્મી જેમના પર મહેરબાન થાય છે, તેમને માલામાલ કરી દે છે અને માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે ભક્તો ઘણા ઉપાયો પણ કરે છે. એવું માનવામાં આવે છે કે માં લક્ષ્મીની કૃપા વગર સુખ-સુવિધા અને શાંતિ નથી મળી શકતી.
ભક્તો માતાની કૃપા માટે કરે છે અઢળક ઉપાયો
ધાર્મિક માન્યતા છે કે માં લક્ષ્મી જે ઘરમાં વાસ કરે છે, ત્યાં ખુશીઓ છવાઈ જાય છે. જોકે એવું માનવામાં આવે છે કે લક્ષ્મી માતાનાં આગમન પહેલા ઘણા પ્રકારના શુભ સંકેતો પણ મળે છે. આવો જાણીએ આ સંકેતો વિષે.
માં લક્ષ્મી પ્રવેશ પહેલા આપે છે આવા સંકેતો
એવી માન્યતા છે કે જો અચાનક ઘરમાં કાળી કીડીઓ ઝુંડ બનાવી લે અને કંઈક ખાવા લાગે તો તેને માં લક્ષ્મીનાં આગમનનો સંકેત માનવામાં આવે છે.
ઘરમાં કોઈ ચકલીનાં માળાને પણ શુભ સંકેત માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે ઘરમાં એક જ જગ્યા પર ત્રણ ગરોળીનું દેખાવું પણ માં લક્ષ્મીનાં આગમનનો સંકેત હોય શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દિવાળીનાં દિવસે તુલસીનાં છોડની આસપાસ ગરોળીનું દેખાવું પણ શુભ સંકેત છે, પણ તુલસીના છોડની આસપાસ વધારે ગરોળીઓ જોવા મળે તો એ અશુભ સંકેત માનવામાં આવે છે.
એવું પણ માનવામાં આવે છે કે જો તમારા જમણા હાથમાં સતત ખંજવાળ આવે છે તો આ પણ શુભ સંકેત છે.
જો કોઈને સૂતા સમયે સપનામાં સાવરણી, ઘુવડ, ઘડો, હાથી, વાંસળી, સંખ, નોળિયો, ગરોળી, સાપ, ગુલાબ વગેરે જોવા મળે છે, તો તેને પણ ધન પ્રાપ્તિનાં સંકેત માનવામાં આવે છે.
જો સવારે ઉઠતા જ તમને શંખનો અવાજ સાંભળવા મળે છે, તો તે પણ શુભ સંકેત છે.
જો તમે પણ કોઈ કામથી બહાર જઈ રહ્યા છો અને તમને ગન્નો જોવા મળે છે, તો તે પણ શુભ સંકેત છે.
જો તમને ઘણા દિવસો સુધી બહાર નીકળતા સમયે કોઈ સાવરણીથી સફાઈ કરતુ જોવા મળે, તો તેનો અર્થ છે કે તમારો કોઈ મોટો વિવાદ સમાપ્ત થવા જઈ રહ્યો છે.
ઘરથી બહાર નીકળતા સમયે જો કોઈ કુતરું મોંમાં રોટલી કે પછી કોઈ શાકાહારી ખોરાક લાવતું જોવા મળે છે, તો આ પણ શુભ સંકેત છે.