ભારતમાં દર 1000 લોકોમાંથી 171.3 લોકોને ડાયાબિટીસ છે. જાણો કયા કયા કારણે ડાયાબિટીસ થઈ શકે છે.
મેદસ્વિતાને કારણે થાય છે ડાયાબિટીસ
સુસ્ત લાઈફસ્ટાઈલને કારણે પણ થઈ શકે છે ડાયાબિટીસ
ન્યૂટ્રીશનની ઉણપને કારણે ડાયાબિટીસનો ખતરો વધે છે
વિશ્વની સાથે સાથે ભારતમાં પણ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. કેટલાક રિપોર્ટ્સ અનુસાર ભારતમાં દર 1000 લોકોમાંથી 171.3 લોકોને ડાયાબિટીસ છે. ડોક્ટરોનું માનવું છે કે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં વધારો થવાનું સૌથી મોટું કારણ ખરાબ જીવનશૈલી છે. ટાઈપ 1 ડાયાબિટીસ આનુવંશિક છે અને તે ફક્ત એક પેઢીમાંથી બીજી પેઢીમાં પસાર થઈ શકે છે. બીજી તરફ, ટાઇપ 2 ડાયાબિટીસ ખરાબ આહાર અને જીવનશૈલીને કારણે થાય છે. વ્યક્તિની જીવનશૈલી અને ખાનપાન સુધારીને ડાયાબિટીસથી બચી શકાય છે.
1. ન્યૂટ્રીશનની ઉણપ
જો કોઈના શરીરમાં ન્યૂટ્રીશનની ઉણપ છે તો તેને મેક્રોન્યુટ્રીએન્ટ અને માઇક્રોન્યુટ્રીએન્ટની ઉણપથી ઘણી બીમારીઓ થાય છે, સાથે જ ડાયાબિટીસની ફરિયાદ પણ રહે છે. રિસર્ચ જણાવે છે કે જે લોકો હેલ્ધી ખોરાક, વેજીટેરિયન ડાયેટ અને પત્તાવાળા શાકભાજીનું સેવન કરે છે, તેમને ડાયાબિટીસની ફરિયાદ રહે છે.
2. એક્સરસાઈઝ ન કરવી
રિસર્ચ અનુસાર, એક્સરસાઈઝ કરવાથી શરીરમાં શ્વસન પ્રણાલી સારી રહે છે પણ જો કોઈની ફેમિલીમાં આનુવાંશિક ડાયાબિટીસ છે, તો એક્સરસાઈઝથી તેમના ડાયાબિટીસના ખતરાને ઘટાડી શકાય છે.
3. સુસ્ત લાઈફસ્ટાઈલ
સુસ્ત લાઈફસ્ટાઈલ ડાયાબિટીસનું સૌથી મોટું કારણ હોય છે. જે લોકો એક્ટિવ નથી રહેતા, મોટાભાગે સૂતેલા જ રહે છે, તેમને ડાયાબિટીસની ફરિયાદ રહે છે. ડોક્ટર્સ જણાવે છે કે લાંબા સમયથી નિષ્ક્રિય લોકોને હાર્ટ અને લંગ્સની સમસ્યા થઈ શકે છે. અમુક રિસર્ચ જણાવે છે કે જે લોકો આખો દિવસ બેઠા અથવા સૂતા રહે છે, તેઓને ટાઈપ 2 ડાયાબિટીસ થવાની સંભાવના વધારે રહે છે. એટલા માટે કોશિશ કરો કે તમે દિવસભર એક્ટિવ રહો.
4. હાઇ કેલરી ડાયેટ
હાઇ કેલરી ડાયેટ લેવાથી ટાઈપ 2 ડાયાબિટીસ અને ફેટ વધવાનો ખતરો વધી જાય છે. એટલા માટે દરેક વ્યક્તિએ માત્ર એટલી જ કેલરીનું સેવન કરવું જોઈએ, જે કેલરી તે બર્ન કરી શકે. દરેક વ્યક્તિએ લો કેલરી ડાયેટ લેવું જોઈએ અને તેમાં પણ હેલ્ધી વસ્તુઓ એડ કરવી જોઈએ.
5. સ્મોકીંગ એન્ડ ડ્રિંકિંગ
હૃદય રોગ, હાઇ કેલેસ્ટ્રોલ, હાઇ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ વગેરે બીમારીઓ સ્મોકીંગ અને દારૂ પીવાથી થાય છે. સ્મોકીંગથી ધમનીઓ સંકોચાઈ જાય છે અને બ્લડ વેસીલ્સ પર ખરાબ અસર થાય છે, જેથી ડાયાબિટીસ અને હૃદયના સ્ટ્રોકનો ખતરો પણ વધી જાય છે.
6. મેદસ્વિતા
ડોક્ટર્સ ચેતવણી આપી ચૂક્યા છે કે જે લોકોનું વજન વધારે હોય છે, તે લોકોને ડાયાબિટીસનો વધારે ખતરો રહે છે. એટલા માટે હંમેશા બીએમઆઈની નક્કી કરેલ લિમિટ સુધી જ વજન હોવું જોઈએ જેથી ડાયાબિટીસનો ખતરો ન રહે.