જે રીતે PAN Card 10 ડિજિટનો એક નંબર હતો, તેવી જ રીતે PRAN અથવા પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર એક 12 ડિજિટનો નંબર છે.
PRAN કાર્ડ અને PAN કાર્ડમાં શું છે તફાવત?
જાણો PRAN કાર્ડ કેમ છે જરૂરી
NPS સબ્સક્રાઈબર્સ જરૂર રાખે ધ્યાન
જો તમારી પાસે PRAN નથી તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નહીં તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેમ PAN કાર્ડ 10 અંકનો નંબર છે, તેવી જ રીતે PRAN અથવા પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર 12 અંકનો નંબર છે.
પરંતુ બંનેના ફાયદા અલગ-અલગ છે. ભારતના દરેક નાગરિક માટે આ કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. તે એવા લોકોની ઓળખ કરે છે જેમણે નેશનલ પેન્શન સ્કીમ (NPS) હેઠળ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
NPS સબ્સક્રાઈબર્સ મેળવી શકે છે PRAN કાર્ડ
PRAN નંબર મેળવ્યા પછી NPS સબ્સ્ક્રાઇબર્સ પાસે PRAN કાર્ડ મેળવવાનો વિકલ્પ હોય છે. NPSમાં PRAN ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે PRAN કાર્ડ માટે નોંધણી કરાવવી જરૂરી છે.
તમે આ માટે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) સાથે નોંધણી કરાવી શકો છો. જ્યારે પાન કાર્ડનો ઉપયોગ આવકવેરા સંબંધિત માહિતી માટે થાય છે. તમે પાન કાર્ડ વગર ટેક્સ નહીં ચૂકવી શકો.
PRAN હેઠળ બે પ્રકારના NPS એકાઉન્ટ આવે છે
ટાયર-I એકાઉન્ટ ટાયર-II એકાઉન્ટ
ટિયર-1 એકાઉન્ટ
ટાયર 1 ખાતું Non-Withdrawable છે અને તે રિટાયમેન્ટ સેવિંગ માટે છે. ટિયર-II એકાઉન્ટ સેવિંગ એકાઉન્ટ સમાન છે. તે તમને તમારી સેવિંગ Withdrawની પરવાનગી આપે છે. પરંતુ આનાથી કોઈ ટેક્સ બેનિફિટ મળતો નથી.
Unique IDની જેમ કરે છે કામ
PRAN કાર્ડ મેળવ્યા પછી NPS સબ્સ્ક્રાઇબર્સ તેમના PRAN કાર્ડની ફિઝિકલ નકલ લઈ શકે છે. PRAN કાર્ડ એક રીતે યુનિક આઈડી જેવું કામ કરે છે. આ કારણોસર સબ્સ્ક્રાઇબર તેને બદલી શકતા નથી. તમે તમારા PRAN કાર્ડ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો.
PRAN Number કેવી રીતે ખબર પડશે?
NPS લૉગિન પોર્ટલ પર જાઓ અને જો તમારી પાસે પહેલેથી જ PRAN કાર્ડ હોય તો હાલના સબ્સ્ક્રાઇબર્સ માટે લૉગિન વિકલ્પ પર ક્લિક કરો. તમે તમારા NPS એકાઉન્ટમાં લોગિન કરવા માટે PRAN કાર્ડ પર દર્શાવેલ પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર અથવા NPS એકાઉન્ટ પાસવર્ડનો ઉપયોગ કરી શકો છો.
આ ડોક્યુમેન્ટ્સ છે જરૂરી
આધાર કાર્ડ
પાન કાર્ડ
કાયમી એકાઉન્ટ નંબર
પાસપોર્ટ સાઇઝના ફોટાની સ્કેન કરેલી નકલ
બેંક પાસબુક/ કેન્સલ કરેલ ચેકની સ્કેન કરેલી નકલ
તમારી સહીની સ્કેન કરેલી નકલ
પાન કાર્ડના ફાયદા
પાન કાર્ડનો ઉપયોગ બેંક ખાતું ખોલાવવાથી લઈને આવકવેરા રિટર્ન ભરવા માટે થાય છે. PAN કાર્ડ પોતે એક માન્ય દસ્તાવેજ અને KYC તરીકે કામ કરે છે. શેરબજારમાં નાણાંનું રોકાણ કરવું હોય કે સોનું ખરીદવાનું હોય કે પછી તમારી ઓળખ માટે કોઈપણ સરકારી યોજનામાં વાપરવાનું હોય, પાન કાર્ડનો સૌથી વધુ ઉપયોગ લીગલ આઈડેન્ટિટી કાર્ડ તરીકે થાય છે.