જાણો ગણેશ ચતુર્થી પર પૂજા કયા પ્રકારે કરવી અને શુભ મુહૂર્તનો સમય
31 ઓગસ્ટનાં રોજ છે ગણેશ ચતુર્થી
આવામાં વિધિ અનુસાર ગણપતિની પૂજા કરવાથી મળે છે શુભ ફળ
જાણો શુભ મુહૂર્ત અને પૂજાવિધિ
31 ઓગસ્ટનાં રોજ છે ગણેશ ચતુર્થી
કોઈપણ મંગળ કે શુભ કાર્યની શરૂઆત પહેલા ભગવાન ગણેશનું પૂજન કરવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર, ભાદ્રપદ્ર મહિનાનાં શુક્લ પક્ષની ચતુર્થી તિથીને દેશભરમાં ભગવાન ગણેશના જન્મોત્સવ તરીકે ઉજવાય છે. આ વર્ષે આ તિથી 31 ઓગસ્ટ 2022 એટલે કે બુધવારે આવશે. આ દિવસે મંદિરો તથા ઘરોમાં ભગવાન ગણેશની પૂજા અર્ચના તથા મૂર્તિ સ્થાપના કરવામાં આવશે અને 10 દિવસ સુધી ગણપતિની આરતી કરવામાં આવશે.
ગણેશ સ્થાપના માટે શુભ મુહૂર્ત
ગણેશ ચતુર્થી તિથીનો આરંભ 30 ઓગસ્ટ એટલે કે મંગળવારે બપોરે 3:34 પર થશે. ચતુર્થી તિથીનું સમાપન 31 ઓગસ્ટ એટલે કે બુધવારે બપોરે 3:23 મિનિટ પર થશે. ગણપતિ સ્થાપનાનું શુભ મુહૂર્ત સવારે 11:05 મિનિટથી શરૂ થઈને 1 સપ્ટેમ્બરે રાત્રે 1:38 મિનિટ પર સમાપ્ત થશે.
ગણેશ મૂર્તિ સ્થાપનાની વિધિ
સૌથી પહેલા ચોકી પર ગંગાજળ છાંટીને તેને શુદ્ધ કરી લો.
ત્યાર બાદ ચોકી પર લાલ રંગનું કપડું પાથરો અને તેના પર અક્ષત રાખો.
ભગવાન ગણેશની મૂર્તિને ચોકી પર સ્થાપિત કરો.
હવે ભગવાન ગણેશને સ્નાન કરાવો અને ગંગાજળ છાંટો.
મૂર્તિની બંને તરફ રિદ્ધિ - સિદ્ધિનાં રૂપમાં એક એક સોપારી રાખો.