દરેક વ્યક્તિ જાણે છે કે કૂતરામાં સૂંઘવાની અદ્ભૂત ક્ષમતા હોય છે. પરંતુ શું તેનો ઉપયોગ કોરોનામાં થઈ શકે છે. વૈજ્ઞાનિકોની ખાસ ટીમ આ વાત પર કામ કરી રહી છે અને તેમને આશા છે કે કૂતરામાં સૂંઘવાની ક્ષમતા માણસ કરતાં 10000 ગણી વધારે હોવાથી તેમને ટ્રેન્ડ કરી શકાય છે કે તે કોરોના વાયરસની જાણકારી આપી શકે.
શું હવે શ્વાન પણ કરી શકશે કોરોનાની ઓળખ?
શ્વાનમાં સૂંઘવાની ક્ષમતા માણસ કરતાં 10000 ગણી વધારે
વૈજ્ઞાનિકો કરી રહ્યા છે સંશોધન
સાંભળવામાં આ વાત કદાચ અવિશ્વસનીય લાગે પણ દુનિયાભરમાં આવી તૈયારી ચાલી રહી છે. યૂકેમાં સરકારના ફંડથી શોધ ચાલી રહી છે કે શ્વાનમાં કોરોના ડિટેક્ટ કરવાની ક્ષમતા છે કે નહીં. આ ટ્રિક કારગર રહી તો શાળાઓ, એરપોર્ટ, સાર્વજનિક સ્થળો પર પણ કોરોનાના ચોકીદાર રૂપે શ્વાન તૈનાત કરાશે. આ શોધ હાલમાં પેનસિલવેલિયામાં ચાલી રહી છે.
કેવી રીતે મદદ કરશે શ્વાન?
દુનિયાભરમાં 11.5 લાખથી વધારે લોકોનો જીવ લઈ ચૂકેલા કોરોનાની વિરુદ્ધમાં વૈજ્ઞાનિકો ગંધ કોન્સેપ્ટ પર કામ કરી રહ્યા છે. શરીરમાં કોઈ રોગ કે બીમારી હોય તો તેની અલગ સ્મેલ આવે છે. પહેલાં પણ લંડનમાં આ ટ્રેન્ડ પર કામ થઈ ચૂક્યું છે અને કેટલાક સ્ટડીમાં તે પોઝિટિવ પરિણામ આપી ચૂક્યું છે.
શા માટે થઈ રહ્યો છે સ્ટડી?
જો આ તરકીબ કામયાબ રહી તો તેમાંથી કેટલાક મોટા ફાયદા થઈ શકે છે. એક તો એંટિજન ટેસ્ટમાં નાકમાં નળી નાંખીને સ્વૈબના નમૂના લેવામાં દર્દીને તકલીફ થાય છે અને સાથે જ હેલ્થ સ્ટાફને પણ જોખમ રહે છે, પરિણામ આવવામાં સમય લાગે છે. અન્ય તરફ આ ટેસ્ટિંગ સુવિધા દરેક સાર્વજનિક સ્થળોએ પહોંચાડવી પણ મુશ્કેલ છે. પણ જો સ્વૈબ ટેસ્ટની મદદથી શ્વાન રોગીને ઓળખી શકે તો મોટી રાહત મળી શકે છે.
સ્ટડીમાં આવી રહી છે આ મુશ્કેલીઓ
કેટલાક પ્રશ્નોના જવાબ હજુ મળવાના બાકી છે. શું કોરોનાની સ્મેલ કૂતરા ઓળખી શકશે. એરપોર્ટ પર ભીડમાં વ્યક્તિની ગંધ પારખી શકશે કે પરફ્યૂમ કે સેન્ટની સાથે પરસેવાની સ્મેલને ઓળખી શકશે. એક રિપોર્ટનું માનીએ તો હજુ ખ્યાલ આવ્યો નથી કે કોરોના કયા સ્તર સુધી હોય તો શ્વાન તેની ગંધ ઓળથી શકે. સ્ટડી કહે છે કે દર્દીને ઓળખવા માટે શ્વાનની ક્ષમતાનો ઉપયોગ કરી શકાય છે.