આજે પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. જાણો કઈ કઈ ખાસિયતોને કારણે પીએમ નરેન્દ્ર મોદી બ્રાંડ મોદી બની ગયા છે.
આજે પીએમ મોદીનો જન્મદિવસ
સતત 21 વર્ષથી સત્તામાં છે પીએમ મોદી
વગર રજાએ સતત કામ કરવાથી પીએમ મોદી બની ગયા છે બ્રાંડ
PM મોદી એક એવા નેતા છે, જે સતત 21 વર્ષ સત્તામાં રહ્યા છે. પહેલા 13 વર્ષ મુખ્યમંત્રી રહ્યા અને હવે 8 વર્ષથી પ્રધાનમંત્રીનાં પદ પર છે. આ પાછળ તેમના 24×7 કામ કરવાની રણનીતિ જવાબદાર છે. કહેવામાં આવે છે કે તેઓ આમ ગત 21 વર્ષથી કરી રહ્યા છે અને આ દરમિયાન તેમણે એક પણ રજા લીધી નથી. PM મોદીએ આ ખાસ પ્રકારની રાજનીતિ સંસ્કૃતિને વિકસિત કરી અને છે અને પાર્ટીને 'સેવા હી સંગઠન'નું મુલ્ય આપીને આગળ લઇ જવાની કોશિશ કરી છે.
1. ચૂંટણીની રણનીતિ બદલવા અને વિજય હાંસલ કરવાનું શીખવ્યું
2014માં પ્રધાનમંત્રી બન્યા બાદ ભાજપાe દેશના એ રાજ્યોમાં પણ સરકાર બનાવી, જ્યાં ઘણા વર્ષોથી પાર્ટી પોતાની જગ્યા બનાવવાની કોશિશ કરી રહી હતી. આ પાછળ PM મોદીની ચુંટણીને લગતી રણનીતિ હતી. વગર રજાએ સતત પોતાના કામ કરવાના ખાસ અંદાજે પીએમ મોદીને જે બ્રાંડ ઈમેજ આપી છે, એ કારણે આજે દેશમાં મોદી લહેર જોવા મળે છે.
2. દરેક ઈલેક્શન મહત્વપૂર્ણ છે, એ પણ જણાવ્યું
એક સમય એવો પણ હતો, જ્યારે ભાજપા માટે આ વાત કહેવામાં આવતી હતી - ભાજપાનાં ત્રણ કામ - બેઠક, ભોજન અને વિશ્રામ. જ્યારથી પાર્ટીની જવાબદારી પીએમ મોદીએ સાંભળી છે, ફેરફાર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. રાજનીતિક કામકાજથી લઈને પાર્ટીની રણનીતિ સુધીમાં ફેરફાર આવ્યો છે. આની શરૂઆત પાછળ એક મોટો મંત્ર રહ્યો છે અને તે છે દરેક ચુંટણીને ગંભીરતાથી લેવી.
3. થોભતી નથી ચુંટણીની તૈયારીઓ
પીએમ મોદીe પાર્ટીમાં આ ચલણ શરુ કર્યું કે ચુંટણી કોઈપણ હોય, પરિણામ આવ્યા બાદ તૈયારી અટકવી ન જોઈએ. સામાન્ય રીતે રાજનીતિક દળો રાજ્યમાં ચુંટણીનાં એક વર્ષ પહેલા જ તૈયારીઓ શરુ કરે છે, પણ પીએમ મોદીએ આ ટ્રેન્ડ પણ બદલ્યો. ચુંટણીની તૈયારીઓને પાર્ટીનાં કામનો મુખ્ય ભાગ બનાવ્યો. પરિણામ, ભાજપાની ચુંટણીની તૈયારીઓ વિપક્ષી દળો માટે પડકારો વધારી રહી છે.
4. વિપક્ષી પાર્ટીઓ પર ફૂલટાઈમ રાજનીતિ કરવાનું પ્રેશર
પીએમ મોદીનાં કામ કરવાના અંદાજની સ્પષ્ટ અસર વિપક્ષી દળો પર જોવા મળે છે. આ એક ઉદાહરણ કોંગ્રેસમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. બે વર્ષ પહેલા કોંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે 24 કલાક કામ કરતા રાષ્ટ્રપતિની માંગણી કરી હતી. દેશના ઘણા દળોનાં નેતા જેવા કે - મમતા બેનર્જી એ સાબિત કરવાની કોશિશમાં રહે છે કે તેઓ ફૂલટાઈમ રાજનીતિનાં મૂડમાં છે.
5. દરેક આયોજનને ભવ્ય બનાવવાની અને મોટા સંદેશ આપવાની શરૂઆત
પીએમ મોદી દરેક આયોજનને ભવ્ય બનાવવા અને તેના માધ્યમથી રાજનીતિક સંદેશ આપવાની કોશિશ કરે છે. આની શરૂઆત 2014માં તેમણે એક ઇવેન્ટથી કરી હતી અને ખુદને પ્રધાનસેવક જણાવ્યા હતા. ભાજપાએ પ્રધાનમંત્રીનાં દરેક જન્મદિવસને સેવા દિવસનાં રૂપમાં મનાવવાની શરૂઆત કરી છે. આ દરમિયાન હેલ્થ ચેક અપ, દીવ્યાંગોને ઉપકરણ વહેંચવા અને વેક્સિનેશન જેવા તમામ કામ કરવામાં આવી રહ્યા છે.