પિતૃ પક્ષમાં જન્મેલા બાળકોને સ્વર્ગીય પૂર્વજોનું જ રૂપ માનવામાં આવે છે. જાણો વિગતવાર
પિતૃ પક્ષમાં જન્મેલા બાળકો સ્વર્ગીય પૂર્વજોનું રૂપ જ માનવામાં આવે છે
અન્યની સરખામણીમાં આવા બાળકો વધારે સમજદાર હોય છે
પોતાના પરિવાર સાથે લાગણી ધરાવે છે આવા બાળકો
સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર વર્ષમાં પિતૃ પક્ષના 15 દિવસ આવે છે, જયારે પૂર્વજોની આત્માઓ પોતાના પરીવારને મળવા અને આશીર્વાદ દેવા માટે પૃથ્વી પર આવે છે. આ 15 દિવસો પિતૃઓની આત્માની શાંતિ માટે પિંડદાન અને શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, કોઈપણ પ્રકારના શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે, પણ જો પિતૃ પક્ષ દરમિયાન ઘરમાં સંતાનનો જન્મ થાય, તો તેને શું માનવામાં આવે છે? શું શ્રાદ્ધમાં જન્મેલા સંતાન દુર્ભાગ્યના પ્રતિક હોય છે કે સૌભાગ્યના? તેમના જન્મની પરિવાર પર શું અસર પડે છે. આવો આજે તમને આ વિષે વિસ્તારથી જણાવીએ.
સ્વર્ગીય પૂર્વજો ફરી લે છે જન્મ
માન્યતા છે કે પિતૃ પક્ષમાં જન્મ લેનાર બાળકો કુટુંબનાં જ સ્વર્ગીય પૂર્વજ હોય છે, જે કોઈ ખાસ હેતુથી ફરી પરિવારમાં જન્મ લે છે. કહેવાય છે કે શ્રાદ્ધ દરમિયાન પેદા થયેલા બાળકો ખૂબ જ રચનાત્મક હોય છે અને આગળ ચાલીને પરિવારનું નામ રોશન કરે છે. આવા બાળકો બુદ્ધિ અને કુશળતાનાં મામલામાં ખૂબ જ આગળ હોય છે.
પિતૃઓની બની રહે છે ખાસ કૃપા
શાસ્ત્રો અનુસાર, પિતૃ પક્ષમાં જન્મ લેનાર બાળકોને સૌભાગ્યશાળી માનવામાં આવે છે. માન્યતા છે કે આ 15 દિવસોમાં જન્મેલા બાળકો પર પિતૃઓની વિશેષ કૃપા રહે છે. આવા બાળકો જીવનમાં આગળ ચાલીને દરેક પરીક્ષામાં સફળ થાય છે. શ્રાદ્ધ પક્ષમાં તેમનો જન્મ થવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
અન્યની સરખામણીમાં વધારે સમજદાર
કહેવામાં આવે છે કે પિતૃ પક્ષ દરમિયાન જન્મ લેનારા બાળકો પોતાની ઉંમરનાં બીજા બાળકોની સરખામણીમાં વધારે સમજદાર હોય છે. તેઓ ખૂબ જ જલ્દી દરેક વાત શીખી લે છે. તેમને નાની ઉંમરમાં જ પોતાની જવાબદારીઓ સમજાય જાય છે. તેમની પાસે જ્ઞાનનો ભંડાર હોય છે. તેઓ પરોપકાર અને દયા ધરાવે છે.
પોતાના પરિવાર સાથે લાગણી
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પિતૃ પક્ષમાં જન્મ લેનારા બાળકોને પરિવાર સાથે ખૂબ જ લગાવ હોય છે. તેઓ પરિવારના માન - સમ્માનને સમજે છે અને પોતાના વ્યવહારથી દરેક જગ્યાએ પરિવારનું માન વધારે છે. પોતાના વ્યવહાર અને જ્ઞાનથી તેઓ સમાજમાં યશ પ્રાપ્ત કરે છે.