બોલિવૂડની સુપરસ્ટાર એક્ટ્રેસ રેખાની પર્સનલ લાઇફ આજે પણ રહસ્ય છે. 90ના દશકમાં જેટલી પોપ્યુલર હતી એટલા જે તમના અફેરના કિસ્સા પણ ફેમસ હતા. આજે સુંદરતાનુ પ્રતિક ગણી શકાય તેવી એક્ટ્રેસ રેખાનો આજે જન્મદિવસ છે. ત્યારે અમે તમને જણાવીશું રેખાની લાઇફના કેટલાક કિસ્સા.
રેખાનો આજે છે જન્મદિવસ
બચ્ચન સાથેનુ અફેર રહ્યું ચર્ચામાં
કેમ રેખા સેથો પુરે છે?
રેખાનુ લગ્નજીવન
શું તમને ખબર છે કે રેખાના પતિ મુકેશ અગ્રવાલે લગ્નના 1 વર્ષ બાદ આત્મહત્યા કરી લીધી હતી. વર્ષ 1990માં બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે રેખાના લગ્ન થયા હતા. મુકેશને રેખા ખુબ જ ગમતી હતી, જે દિવસે મુકેશે રેખાને પ્રપોઝ કર્યુ તે જ દિવસે બંનેએ લગ્ન કરી લીધા હતા.
લગ્ન બાદ જ્યારે રેખાને ખબર પડી કે તેનો પતિ મુકેશ ડિપ્રેશનમાં છે તો તેને છોડીને તે વિદેશ જતી રહી હતી. રેખા જ્યારે વિદેશમાં હતી ત્યારે જ મુકેશે ભારતમાં આત્મહત્યા કરી લીધી હતી. મુકેશે રેખાના જ દુપટ્ટા વડે આત્મહત્યા કરી લીધી હતી.
જ્યારે આ ખબર બહાર આવી ત્યારે રેખાની ઇમેજ નેગેટીવ થઇ ગઇ હતી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો અને મુકેશના પરિવારના લોકોએ રેખાને ખુબ ખરીખોટી સંભળાવી હતી.
રેખાને ગાર્ડ લખે છે ચિઠ્ઠી
કહેવામાં આવે છે કે રેખાનો મુંબઇમાં બંગલો છે ત્યાં કોઇ પણ પુરુષને પ્રવેશવાની મનાઇ છે. બંગલાના ગાર્ડ પણ કામ હોય તો રેખાને ચિઠ્ઠી લખે છે, જે ચિઠ્ઠી તેમના સુધી પહોંચાડવામાં આવે છે. આ વાત પર રેખા ક્યારેય કંઇ બોલી નથી. કહેવામાં તો એવુ પણ આવે છે કે રેખા તે બંગલામાં તેની સેક્રેટરી ફરઝાના સાથે રહે છે.
બચ્ચન સાથે સંબંધ
એક સમય પર બી-ટાઉનમાં રેખા અને અમિતાભ બચ્ચનના સંબંધોની ચર્ચાએ ખૂબ જોર પકડ્યુ હતુ. કહેવામાં આવે છે કે એક વાર જયા બચ્ચને એક વાર રેખાને ફોન કરીને ઘરે બોલાવી અને કહ્યું કે તે અમિતાભ બચ્ચનને નહી છોડે. આ બાદ કુલી ફિલ્મના સેટ પર બચ્ચન સાથે જે ઘટના બની ત્યારે રેખા અમિતાભને મળવા હોસ્પિટલ પહોંચી પરંતુ તેમને મળવા દેવામાં આવ્યા નહી. આ બાદથી જ બંનેનુ અફેર સમાપ્ત થઇ ગયુ.