ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ઇજા થવાનો સિલસિલો ચાલુ છે ત્યારે આ લિસ્ટમાં કે.એલ. રાહુલનું નામ પણ જોડાઇ ગયુ છે. શનિવારે ટીમ ઇન્ડિયાના અભ્યાસ સત્ર દરમિયાન મેલબર્નમાં નેટ્સ પર બેટિંગ કરતી વખતે તેના કાંડામાં મચક આવી ગઇ હતી. જે બાદ તેને આ સિરીઝમાંથી બહાર થવુ પડ્યુ હતુ.
ભારતીય ક્રિકેટ ટીમની વધી મુશ્કેલી
KL રાહુલ થયો ઇજાગ્રસ્ત
રાહુલના બહાર થવાથી ટીમની ચિંતા વધી
28 વર્ષનો આ વિકેટકીપર, બેટ્સમેન બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની વધેલી બે મૅચ નહી રમી શકે. કે.એલ રાહુલને સંપૂર્ણ રીતે સાજા થતા ત્રણ અઠવાડિયા જેટલો સમય લાગશે. રાહુલ હવે NCAની રિહૅબ પ્રક્રિયામાઁથી પસાર થશે.
BCCIએ કહ્યું કે, મેલબર્નમાં શનિવારે ભારતીય ટીમની પ્રેક્ટિસ વખતે રાહુલનું કાંડુ મચકોડાઇ ગયુ હતુ. સિરીઝની ત્રીજી ટેસ્ટ સિડનીમાં 7 જાન્યુઆરીએ રમાશે. જ્યારે ચોથી મેચ બ્રિસ્બેનમાં 15 જાન્યુઆરીએ રમાશે. આ સિરીઝ હાલમાં 1-1ની બરાબરી પર છે.
આશા રાખવામાં આવી રહી છે કે રાહુલને સિડનીમાં રાખવામાં આવશે. તેની જગ્યાએ હનુમા વિહારીને રાખવામાં આવશે. વિહારીએ છેલ્લી ત્રણ મેચમાં 45 રન જ બનાવ્યા છે. આ ઇજાના કારણે 5 ફેબ્રુઆરીથી શરૂ થનારી મૅચમાં પણ રમી શકશે કે નહી તે એક પ્રશ્ન છે.
ઓસ્ટ્રેલિયા સિરીઝમાં ઇજા પામ્યા બાદ ઉમેશ યાદવ, મોહમ્મદ શમી પહેલા જ બહાર થઇ ચૂક્યા છે. કેપ્ટન વિરાટ કોહલી હાલમાં પેટરનીટિ લીવ પર છે.
રોહિત શર્મા પહેલી બે મેચ નહોતા રમી શક્યા, હવે તે વાપસી માટે તૈયાર છે. તેને ચેતેશ્વર પૂજારાની જગ્યાએ ઉપકપ્તાન બનાવવામાં આવ્યા હતા. તે સિડનીમાં શુભમન ગીલ સાથે રમી શકે છે.