દિલ્હીમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. કિરાડીમાં કાપડના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં 9 લોકોના મોત નિપજ્યા છે. હાલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
નવી દિલ્હીના કિરોડી વિસ્તારમાં એક બિલ્ડીંગમાં આગ લાગી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. કિરાડીના ઇન્દર એન્કલેવમાં આવેલ ચાર માળની બિલ્ડીમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની ટીમના અધિકારીના જણાવ્યું અનુસાર આ દૂર્ઘટનામાં 9 લોકોનાં મોત નિપજ્યાં છે. પ્રાથમિક તારણ મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે.
આ અગાઉ 7 ડિસેમ્બરના રોજ દિલ્હીના રાની ઝાંસી રોડ પર આગનો બનાવ બન્યો હતો. આ આગના બનાવમાં પોલીસે 43 લોકોના મોત નિપજ્યાં હોવાની પુષ્ટી કરી હતી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત દિગ્ગજ નેતાઓએ ટ્વિટ કરી દૂર્ઘટના પર દુઃખ વ્યક્તિ કર્યું હતું.
સૂત્રોને મળતી જાણકીર મુજબ આગ કાપડના ગોડાઉમાં લાગી છે. આગ એક અનુમાન મુજબ 12 વાગે લાગી હોવાનું જાણવા મળ્યું છે. જો કે પ્રત્યક્ષ જોનારાઓના જણાવ્યા મુજબ મૃતકોનો આંકડો હજી પણ વધે તેવી શક્યતા છે.
#UPDATE Delhi Fire Department: 9 people died in the fire which broke out in a cloth godown in Kirari late last night. https://t.co/PXShLLo593