આણંદના ખંભાતમાં તોફાનનો મામલામાં ઉશ્કેરણીજનક ભાષણ આપનારા પૂર્વ MLA સામે ફરિયાદ થઈ છે. ભાજપના પૂર્વ MLA સંજય પટેલ સહિત 18 સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે રેલીની મંજૂરી આપી ન હોવા છતાં લોકો એકત્ર થયા હતા અને અથડામણ બાદ બીજા દિવસે રેલી કાઢી હતી.
ઉશ્કેરણીજનક ભાષણ આપનારા પૂર્વ MLA સામે ફરિયાદ
ભાજપના પૂર્વ MLA સંજય પટેલ સહિત 18 સામે ફરિયાદ
પોલીસે રેલીની મંજૂરી આપી ન હોવા છતાં લોકો એકત્ર થયા
આણંદના ખંભાતમાં હિંસા મામલે ઉશ્કેરણીજનક ભાષણ આપનારા ભાજરના પૂર્વ ધારાસભ્ય સામે ફરિયાદ થઈ છે. આ મામલે ભાજપના પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ સહિત 18 લોકો સામે ફરિયાદ થઈ છે. પોલીસે રેલીની મંજૂરી ન આપી હોવા છતા લોકો એકત્ર થયા હતા. ખંભાતમાં થયેલી અથડામણ બાદ બીજા દિવસે રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં જોડાયેલા લોકોએ તોડફોડ કરીને ઉપદ્રવ મચાવ્યો હતો. ત્યારે હવે આ મામલે 18 લોકો સામે ફરિયાદ થઈ છે.
આ તોફાની તત્ત્વો સામે ગુનો નોંધાયો
સંજયપટેલ, પૂર્વ ધારાસભ્ય, ભાજપ
પિનાકિન બ્રહ્મભટ્ટ, ભાજપ પ્રમુખ
યોગેશ શાહ, ભાજપ કાર્યકર
નાનકાભાઈ પટેલ, રામસેના,
જયવીર જોષી, રામસેના
નંદકિશોર બ્રહ્યભટ્ટ, વીએચપી
કેતન પટેલ, હિન્દુ જાગરણ મંચ
નીરવ જૈન, હિન્દુ જાગરણ મંચ
કલ્પેશ પંડિત,ભાજપ ઉપપ્રમુખ
અશોક ખલાસી - કાઉન્સિલર,
રાજુભાઈ રાણા - કાઉન્સિલર,
બલરામ પંડિત - ભાજપ કાર્યકર
પાર્થિવ પટેલ – ભાજપ કાર્યકર
મંગો શાહ – પૂર્વ કાઉન્સિલર
શું કહે છે રાજ્યગૃહમંત્રી પ્રદિપસિંહ?
ખંભાત શહેરમાં ફાટી નીકળેલા તોફાનો બાદ આજે પણ અજંપ્પાભરી શાંતિ રહી હતી.જેને લઇ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, સંવેદનશીલ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરી દેવાશે. ડેમોગ્રાફીકલ ચેંજ ન થાય તેનુ પણ રાજ્ય સરકાર ઘ્યાન રાખશે. તો પ્રદિપસિંહે કોંગ્રેસ પર તૃષ્ટીકરણની રાજનીતિનો આરોપ લગાવતા કહ્યું કે ષડયંત્ર રચીને ઘટનાને અંજામ અપાયો છે.
CM રૂપાણીએ DGPને પણ સૂચના આપી
CM સાથે ઘટના અંગેની સમીક્ષા થઈ. રાજ્ય સરકારે ઘટનાને ગંભીરતાથી લીધી છે. બેઠક બાદ CM રૂપાણીએ DGPને પણ સૂચના આપી. DGPને ખંભાત પહોચવાની સુચન કરાયા. રાજ્ય પોલીસ વડાએ ગંભીરતા સમજી. આગ ચાપવામાં સંકળાયેલા લોકોને છોડવામાં નહિ આવે. પથ્થરબાજ-આગચંપી કરનારાઓને છોડવામાં નહીં આવે. પથ્થરબાજો અને આગચંપી કરનારને બક્ષવામાં નહી આવે. અમે સ્થાનિક ધારાસભ્યોના સંપર્કમાં છીએ. 5 SRP, 2 રેપીડ એક્શન ફોર્સ તૈનાત છે. ખંભાતમાં અશાંતધારો અમલ કરવાની કામગીરી શરૂ થશે. CCTV ફૂટેજ આધારે પોલીસ કાર્યવાહી થશે. ખંભાતને કેટલાક લોકો અશાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ખંભાતમાં શાંતી જાળવી રાખવાની જવાબદારી રાજ્ય સરકારની.
શું હતી ઘટના?
આણંદ જિલ્લાના ખંભાતમાં લગ્નમાં વીડિયો ઉતારવાની બાબતે કેટલાક અસામાજિક તત્વોએ બબાલ કરતાં લગ્નપ્રસંગના રંગમાં ભંગ પડ્યો હતો. વીડિયો ઉતારવાની બાબતે ઉગ્ર બોલાચાલી બાદ શખ્સોએ તોડફોડ મચાવી હતી. જેના કારણે તંગદિલીઓનો મહાલો સર્જાયો હતો. મામલો એટલો બિચક્યો કે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિત પર નિયંત્રણ મેળવવા માટે ટિયર ગેસના સેલ છોડ્યા હતા.
બન્ને કોમના લોકોએ એક બીજા પર સામ-સામે પથ્થરમારો કર્યો
આણંદના ખંભાત બસ સ્ટેન્ડ પાસે આવેલા અકબરપુરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી. બે કોમ વચ્ચે જૂથ ત્રણ દિવસ પહેલા અગમ્ય કારણોસર અથડામણ થઈ હતી. બન્ને કોમના લોકોએ એક બીજા પર સામ-સામે પથ્થરમારો કર્યો હતો.
ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ
આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ છે. આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે 25 રાઉન્ડ ટીયરગેસ છોડ્યા હતા. પોલીસે 6 રાઉન્ડ ફાયરિંગ કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી. બે જૂથ વચ્ચે થયેલ અથડામણ CCTV કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે હવે પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથધરી છે.