ભારત પાકિસ્તાન વચ્ચે રાજકીય સંબંધો ભલે ખરાબ હોય પણ અહીં ધાર્મિક આધાર પર બંને દેશ વચ્ચે સંબંધો સુધારવાના પ્રયાસ થઈ રહ્યા છે પરંતુ સીમાપાર શીખ શ્રદ્ધાળુઓના ધાર્મિક મુસાફરી દરમિયાન પડનારા રસ્તામાં લાગેલા પોસ્ટર્સે ભારતની ચિંતામાં વધારો કર્યો છે.
ગુરૂ નાનક દેવની 549મી જયંતિ નિમિત્તે ગુરુદ્વારા નાનકા સાહિબ યાત્રા કરનારા 3 હજાર 800 ભારતીય શીખોને પાકિસ્તાને વિઝા આપ્યા છે. પરંતુ અહીં વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળી. અહીંથી એક તસવીર સામે આવી છે કે જ્યાં ગુરૂદ્વારામાં ભારત વિરૂદ્ધ પ્રદર્શન કરનારા ખાલિસ્તાની સમર્થકોએ પોસ્ટર લગાવ્યા છે.
ખાસ કરીને નાનકા સાહિબ પાસે આવા પોસ્ટર લાગ્યા છે. ઉપરાંત ભારતીય અધિકારીઓ માટે નો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા સુરક્ષાના ભઆગ રૂપે છેલ્લા કેટલાંક વર્ષોથી પાકિસ્તાનના ગુરૂદ્વારામાં ભારતીય અધિકારીઓને જવાની મંજૂરી નથી.