ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / keshav maharaj is south africa captain today in one day match against india
Last Updated: 05:48 PM, 9 October 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની વન ડે સીરીઝનો બીજો મુકાબલો રાંચીમાં આયોજિત થયો છે. આ મુકાબલામાં સાઉથ આફ્રિકાની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ખાસ વાત એ છે કે આ મુકાબલામાં સાઉથ આફ્રિકા તરફથી કેશવ મહારાજ કેપ્ટન રહ્યા છે. ટેમ્બા બાવુમા અસ્વસ્થ હોવાને કારણે આ મુકાબલાનો હિસ્સો ન બન્યા.
ADVERTISEMENT
પહેલા પણ રહી ચુક્યા છે કેપ્ટન
કેશવ મહારાજ અગાઉ પણ વન-ડે ઈન્ટરનેશનલમાં દક્ષિણ આફ્રિકા માટે કેપ્ટનશિપની જવાબદારી સંભાળી ચૂક્યા છે. આ મેચ પહેલા કેશવ મહારાજે છ વનડેમાં દક્ષિણ આફ્રિકાની કેપ્ટનશીપ કરી હતી. આ દરમિયાન આફ્રિકાની ટીમને બે મેચમાં જીત અને બેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. અને બે મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું.
.jpg)
ADVERTISEMENT
કેશવ મહારાજનો ભારત સાથે ખાસ સંબંધ છે. કેશવ મહારાજના પૂર્વજ ભારતીય રાજ્ય ઉત્તર પ્રદેશનાં સુલતાનપુરથી નાતો ધરાવે છે. કેશવ મહારાજનાં પિતા આત્માનંદ મહારાજે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમના પૂર્વજ 1874 ની આસપાસ સુલતાનપુરથી ડરબન આવીને વસ્યા હતા. તે જમાનામાં ભારતીય લોકો કામની તલાશમાં સાઉથ આફ્રિકા જેવાં દેશોમાં જઈને વસતા હતા.
.jpg)
ADVERTISEMENT
ADVERTISEMENT
હનુમાનજીના ભક્ત છે કેશવ મહારાજ
કેશવ મહારાજ હિન્દુ દેવતાઓની પૂજા કરે છે. ખાસ કરીને તેઓ હનુમાનજીના મોટા ભક્ત છે. કેશવ મહારાજ ગયા મહિને પ્રથમ T20 મેચ રમવા માટે તિરુવનંતપુરમ ગયા હતા ત્યારે તેમણે ત્યાં પદ્મનાભ સ્વામી મંદિરમાં ભગવાન વિષ્ણુના દર્શન કર્યા હતા. કેશવે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેને લગતો એક ફોટો શેર કર્યો છે. શેર કરેલા ફોટામાં કેશવ મહારાજ પરંપરાગત ભારતીય પોશાક (ધોતી)માં જોવા મળે છે. એટલું જ નહીં કેશવ મહારાજે લોકોને નવરાત્રીની શુભકામનાઓ પણ પાઠવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ