નવી દિલ્હીઃ કેરળ શિવસેનાએ ધમકી આપી છે કે જો સબરીમાલા મંદિરમાં મહિલાઓ પ્રવેશ કરશે તો તેમના કાર્યકર્તાઓ સામૂહિક આત્મહત્યા કરશે.
મળતી માહિતી અનુસાર પાર્ટી સદસ્ય પેરિંગમ્માલા એજીએ કહ્યું કે અમારી કેટલીક મહિલા કાર્યકર્તા 17 અને 18 ઓક્ટોબરે પમ્બા નદીની પાસે એકઠી થશે. જો યુવતિઓ મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરશે તો અમારા કાર્યકર્તા આત્મહત્યા કરશે.
ગત મહિને સુપ્રીમ કોર્ટના આદેશ પહેલા 10થી 50 વર્ષની ઉંમરની મહિલાઓને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. શિવસેના સુપ્રીમ કોર્ટના આ નિર્ણયના વિરોધમાં છે.
સુપ્રીમ કોર્ટની 5 સભ્યોવાળી પીઠે 28 સપ્ટેમ્બરે 4-1ના બહુમતથી આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટના નિર્ણય પહેલા સબરીમાલા મંદિરમાં માસિકધર્મ યુવાન યુવતિઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો.
સુપ્રીમ કોર્ટે 53 વર્ષ જુની પરંપરાને ગેરકાયદેસર ગણાવી હતી. પૂર્વ સીજેઆઇ દીપક મીશ્રાની અધ્યક્ષતામાં જસ્ટિસ ખાનવલ્કર જસ્ટિર નરીમન જસ્ટિસ ચંદ્રચૂડ અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાની પીઠે આના પર ચૂકાદો સંભળાવ્યો હતો.